Sat,08 August 2026,9:26 pm
Print
header

જંતર- મંતર પર પ્રદર્શન: CJPના અભિજીત દીપકેએ સોનમ વાંગચુકને ઉપવાસ છોડવા કરી અપીલ

  • Published By Panna Patel
  • 2026-07-22 16:08:16
  • /
  • સોનમ વાંગચુકના ઉપવાસનો 25 મો દિવસ 
  • આંદોલન તો ચાલુ જ રહેશેઃ દીપકે
  • શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગથી પાછળ નહીં હટવામાં આવે

નવી દિલ્હીઃ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન વચ્ચે CJP ના અભિજીત દીપકેએ સોનમ વાંગચુકને પોતાના ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સોનમ વાંગચુકનું જીવન દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે તેમણે ભૂખ હડતાળ પૂરી કરી દેવી જોઈએ. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઉપવાસ પૂરા થવાનો મતલબ આંદોલનનો અંત નથી. દીપકેએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ પૂરી ન થાય, ત્યાં સુધી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ રહેશે.

અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે સોનમ વાંગચુકના ઉપવાસનો 25મો દિવસ છે અને ખોરાક વિના આટલા લાંબા સમય સુધી રહેવાથી તેમના જીવન પર ગંભીર જોખમ ઊભું થયું છે. તેમણે કહ્યું, "દેશને તેમની જરૂર છે. હું તેમને ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરું છું. પરંતુ આપણું શાંતિપૂર્ણ આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે, જ્યાં સુધી આપણી માંગણીઓ પૂરી ન થાય. તેમણે ઉમેર્યું કે જો સોનમ વાંગચુક ઉપવાસ પૂરા પણ કરી દે, તો પણ પ્રદર્શન ચાલુ રહેશે અને તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગથી પાછળ નહીં હટે.

દીપકેએ કહ્યું કે આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહેશે, આંદોલન કે દેશની છબીને નુકસાન પહોંચે એવી કોઈ પણ પ્રવૃત્તિની મંજૂરી આપવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે આ આંદોલન મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરના બતાવેલા અહિંસક માર્ગ પર ચાલશે. તેમણે સમર્થકોને પણ સંયમ જાળવી રાખવા અને શાંતિપૂર્ણ રીતે આંદોલન આગળ ધપાવવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આંદોલનનો હેતુ માત્ર જવાબદારી નક્કી કરાવવાનો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch