400 જવાનોની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર
ત્રણ આતંકવાદીઓ પ્લાનને અંજામ આપવાના હતા
ભારતને લોહીના આંસુએ રડાવવા માંગતા હતા આતંકીઓ
જમ્મુ-કાશ્મીરઃ 2019માં પુલવામામાં IED હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા, બાદમાં ભારતે બાલાકોટમાં આંતકીઓનો સફાયો કરી નાખ્યો હતો, બદલો લેવા આતંકવાદીઓ આપણા વધુ સૈનિકોની હત્યા કરવા ઘણા સમયથી તૈયારી કરી રહ્યાં હતા, અંજામ આપવાની પણ તૈયારી હતી, પરંતુ જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ આ ષડયંત્રનો પર્દાફાશ કરીને વિસ્ફોટકોનો નાશ કરી નાખ્યો છે.
આઈજી વિજય કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે સેન્ટ્રો કારમાં 45 કિલો જેટલો IED વિસ્ફોટ મળ્યો હતો, જેને નાશ કરી દેવાયો છે, બુધવારે સાંજે સેન્ટ્રો કારનો પોલીસે પીછો કરીને ડ્રાઇવરને ચેતવણી આપી હતી, પરંતુ અંધારામાં ડ્રાઇવર કાર મુકીને ફરાર થઇ ગયો છે, જેની શોધખોળ થઇ રહી છે, બાદમાં બોમ્બ સ્કવોર્ડે IED વિસ્ફોટકનો જંગલ વિસ્તારમાં નાશ કર્યો છે, જેમાં બ્લાસ્ટ થયો હતો, જેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને દૂર આવેલા કેટલાક મકાનોના કાચ પણ તૂટી ગયા છે.
પોલીસ અને સેનાને એક સપ્તાહ પહેલા હુમલાના ષડયંત્રની માહિતી હતી, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોંહમ્મદનું આ ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે, આતંકીઓના નિશાને સીઆરપીએફ કાફલાની 20 ગાડીઓ અને 400 જવાનો હતા. સીઆરપીએફની 20 ગાડીઓનો કાફલો સવારે 7 વાગ્યે શ્રીનગરથી જમ્મુ જતો હોય છે તે કાફલો આતંકીઓના નિશાને હતો.
જંગ-એ-બદર ઇસ્લામમાં 17 મો રોજાનો દિવસ હોય છે, આ દિવસે જ ઇસ્લામની પહેલી જંગ લડાઇ હતી, ઇ.સ.624માં મદિનામાં યુદ્ધ થયું હતુ, જેમાં મક્કાના કુરૈશી કબીલાના 1000 જવાનો સામે પૈગમ્બર સાહેબ અને તેમના 313 સાથીઓ હતા. આ પવિત્ર દિવસનો ખોટો મતલબ કાઢીને જ્યારે આ દિવસ આવે છે ત્યારે ઇસ્લામના નામે આતંકીઓ હુમલાની યોજના બનાવે છે, અગાઉ પણ આ દિવસે કાશ્મીરમાં હુમલાના ષડયંત્રો થઇ ચુક્યાં છે. અગાઉ આતંકી અહમદ ડારે પણ પુલવામા હુમલા પહેલા ઇસ્લામનું ઉદાહરણ આપીને કાશ્મીરની આઝાદીની વાત કરી હતી. આ આતંકીઓ પવિત્ર ઇસ્લામના નિયમોને ભૂલી ગયા છે અને તેઓ લોહીના તરસ્યાં બની ગયા છે.
આતંકી હુમલાના નિષ્ફળ ષડયંત્રમાં આતંકવાદી આદિલ, પાકિસ્તાનનનો ફૌજીભાઇ નામનો આતંકી અને આતંકી ડ્રાઇવર અને તેમના આકાઓની સંડોવણી છે. જેમની તપાસ હવે એનઆઇએ કરી રહી છે. ત્યારે એક મોટી સતર્કતાથી આપણા જવાનોના જીવ બચી ગયા છે અને હવે સેના આતંકીઓ સામેના ઓપરેશન તેજ બનાવશે તે નક્કિ છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03