Fri,19 April 2024,11:19 am
Print
header

રાજૌરીમાં આર્મી કેમ્પ પર ફિદાયીન હુમલો, ત્રણ જવાનો શહીદ, બે આતંકીઓ ઠાર - Gujarat Post

શ્રીનગરઃ 15 ઓગસ્ટ પહેલા જ રાજૌરીના દરહલમાં આતંકીઓએ આર્મી કેમ્પ પર હુમલો કર્યો છે. આતંકવાદીઓના આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે, બે ઘાયલ થયા છે.સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં હતા. જમ્મુ કાશ્મીરમાં લાંબા સમય બાદ આતંકીઓએ આવો હુમલો કર્યો છે. ઘાયલ સૈનિકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

એડીજીપીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યાં ગયા છે. બે જવાનો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબા (એલઈટી) ના આતંકવાદીઓ માર્યાં ગયા હતા, જેમાં આતંકી લતીફ રાથેર સામેલ હતો, જે ગત મે મહિનામાં કાશ્મીરી પંડિત કર્મચારી રાહુલ ભટની હત્યામાં સામેલ હતો. 

કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે (કાશ્મીર ડિવિઝન) ટ્વીટ કર્યું કે,"લશ્કર-એ-તૈયબાના છુપાયેલા આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘટના સ્થળ પરથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યાં છે, ગુનાહિત સામગ્રી, શસ્ત્રો અને દારૂગોળો મળી આવ્યો હતો. અમારા માટે આ એક મોટી સફળતા છે."

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch