Fri,26 April 2024,5:08 am
Print
header

પુલવામા જેવો મોટો આતંકવાદી હુમલો નિષ્ફળ કરી દેવાયો, IED ભરેલી કાર મળી

વિસ્ફોટક ડિફ્યૂઝ કરાતા મકાનોના કાચ તૂટ્યાં

જમ્મુ-કાશ્મીરઃ દુનિયા આખી આજે કોરોના સામે જંગ લડી રહી છે, લાખો લોકોનાં જીવ ગયા છે, આ સ્થિતીમાં પણ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનો અને આઇએસઆઇ ભારત સામે મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે, પુલવામા જિલ્લામાં ફરીથી મોટા IED બ્લાસ્ટનું ષડયંત્ર ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધું છે. અહીના આઇનગુંડ વિસ્તારમાં સેન્ટ્રો કારમાંથી IED વિસ્ફોટક જપ્ત કરાયો છે. જેને નિષ્ફળ બનાવતી વખતે ધડાકો થતા આસપાસના મકાનોના કાચ તૂટી ગયા છે.

સેનાને માહિતી મળી હતી કે આ IED જવાનોનાં કાફલા પર કોઇ મોટો હુમલો કરવાનું ષડયંત્ર હતુ, અગાઉ 14 ફેબ્રુઆરી 2019ના દિવસે પુલવામામાં આવા જ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઇ ગયા હતા. હુમલા પાછળ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોંહમ્મદનો હાથ હતો. બાદમાં ભારતીય એરફોર્સે બાલાકોટમાં એર સ્ટાઇક કરીને આતંકીઓનો સફાયો કરી દીધો હતો. 

નોંધનિય છે કે છેલ્લા થોડા સમયમાં  જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ જુદા જુદા ઓપરેશનમાં 15 જેટલા આતંકવાદીઓને ઠાર કરી દીધા છે અને કેટલાકની ધરપકડ પણ કરાઇ છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch