અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 27 લોકોનાં મોત થઇ ગયા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું, કે આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી પ્રવાસીના મોત થયા છે. ધર્મના આધારે આતંકીઓએ કરેલો હુમલો કાયરતાનું પ્રદર્શન છે. કાશ્મીરથી ગુજરાતીઓને સહી સલામત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એક એક આતંકવાદીઓને વીણીને જવાબ આપવામાં આવશે. જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે. ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ ગંભીરતાથી નોંધ લીધી છે. પીએમ સાઉદીનો પ્રવાસ ટૂંકાવીને પરત ફર્યા છે. તેમની ડેડ બોડી પરત લાવવા માટેની વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે. ભૂતકાળની ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે અને આ ઘટનાનો પણ આવો જ જવાબ આપવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા મૃતકો અને ઘાયલોને કોઇ અગવડતા ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર દ્વારા આજે જ ત્રણેય ગુજરાતી મૃતકોના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે. વિશેષ આર્મી પ્લેન દ્વારા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવશે. મૃતદેહો પહેલા મુંબઇ અને ત્યાંથી અમદાવાદ ખાતે લાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હાજર રહેશે. સાંજ સુધીમાં તમામ લોકોનાં મૃતદેહ તેમના પરિવારને મળી જાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ફરી કોરોનાનો ડર...બ્રિટનમાં કોરોનાથી મૃતકોની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઇ - Gujarat Post | 2025-05-21 20:33:35
સુરત મોડલ આપઘાત કેસમાં ઘટસ્ફોટ, પ્રેમી ડામ આપતો હતો અને અંગત ફોટો વાઇરલ કરવાની આપી હતી ધમકી | 2025-05-21 12:42:13
સુરતમાં ધોળા દિવસે બેંકમાં લૂંટ, બંદૂકની અણીએ મહિલા કર્મચારીઓને બંધક બનાવીને રોકડ રકમની લૂંટ કરી | 2025-05-21 09:08:43
ACB એ CGST ના અધિકારીને રૂ.2000 ની લાંચ લેતા ઝડપી લીધા, જાણો વધુ વિગતો- Gujarat post | 2025-05-20 18:50:55
રાહુલ ગાંધી મોર્ડન યુગના મીર ઝાફર, આસિમ મુનીર સાથે અડધો ફોટો શેર કરી અમિત માલવિયાએ સાધ્યું નિશાન- Gujarat Post | 2025-05-20 14:32:29
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત પાકિસ્તાનની પરમાણુ બોમ્બની ધમકીઓથી ડરવાનું નથી, અમે ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યાં | 2025-05-17 22:51:20
ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન કરશે | 2025-05-17 08:54:53
યુદ્ધવિરામ બાદ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસના કાર્યાલયો ધમધમી ઉઠ્યાં, બંને પક્ષના સંગઠન થયા સક્રિય- Gujarat Post | 2025-05-16 10:29:47
પહેલગામ હુમલાના 3 દિવસ પહેલા પીએમ મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, મલ્લિકાર્જુન ખડગેનો દાવો | 2025-05-06 16:23:15
જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, પહેલગામ હુમલા વખતે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં હતી - Gujarat Post | 2025-05-19 08:51:36
હૈદરાબાદમાં ચાર મીનાર નજીકની ઇમારતમાં ભીષણ આગ, 17 લોકોનાં મોત | 2025-05-18 14:22:32
પાકિસ્તાનમાં ISI ના સંપર્કમાં રહીને ભારત સાથે ગદ્દારીનો આરોપ, હરિયાણાની મહિલા યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની દેશ વિરોધી પ્રવૃત્તિ બદલ ધરપકડ | 2025-05-17 22:45:26
ગ્લોબલ મંચ પર પાકિસ્તાન પડશે ખુલ્લું, કોંગ્રેસ નેતા શશી થરૂરને મોદી સરકારે સોંપી મોટી જવાબદારી- Gujarat Post | 2025-05-17 10:39:28