Fri,26 April 2024,1:32 am
Print
header

સેનાને મોટી સફળતા, જમ્મુ-કાશ્મીરમાં મુઝાહિદ્દીન અને લશ્કરનાં 3 આતંકવાદીઓ ઠાર

થોડા જ દિવસોમાં 50થી વધુ આતંકીઓનો સફાયો 

જમ્મુ-કાશ્મીરઃ છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય સેનાએ ઓપરેશન ઓલ આઉટ તેજ કરી દીધું છે, જેના ભાગરૂપે ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં વધુ 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે, અનંતનાગ જિલ્લાના ખુલચોહરમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુઝાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓનો સફાયો કરી દીધો છે, જેમની પાસે મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને એકે-47 રાઈફલ જપ્ત કર્યા છે. 

ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોના તેમના આકાઓ સાથે સંપર્કમાં હતા અને ભારતમાં મોટા હુમલાની ફિરાકમાં હતા, પરંતુ સેનાને માહિતી મળતા તેમને ઘેરી લેવામાં આવ્યાં હતા અને તેમને ઠાર કરી દેવામાં આવ્યાં છે.નોંધનિય છે કે છેલ્લા થોડા જ દિવસોમાં ભારતીય સેનાએ 50 કરતા વધુ આતંકવાદીઓનો સફાયો કરી દીધો છે અને હજુ સેના આતંકવાદીઓ સામેનું ઓપરેશન તેજ કરી રહી છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch