Thu,25 April 2024,12:01 pm
Print
header

6 લોકોનાં મોત, જાલોરમાં કંડકટર વીજ વાયર ખસેડવા બસ પર ચઢ્યો અને કરંટ બસમાં જ ઉતર્યો

રાજસ્થાનઃ એક ગંભીર દુર્ઘટનામાં 6 લોકોના મોત થઇ ગયાનો બનાવ બન્યો છે જાલોરમાં, જ્યાં એક બસ ડ્રાઇવર રસ્તો ભૂલી ગયો હતો અને બસ અચાનક જ કોઇ વીજ વાયરના સંપર્કમાં આવી જતા બસમાં કરંટ ઉતર્યો હતો જેને કારણે 6 મુસાફરોને કરંટ લાગતા તેમના મોત થઇ ગયા છે અન્ય 7 જેટલા મુસાફરો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.  

મુસાફરોથી ભરેલી બસનો ડ્રાઇવર રસ્તો ભૂલી જતા એક ગામમાં બસને લઈને પહોંચ્યો હતો. રસ્તામાં વીજળીનો વાયર વચ્ચે આવતા કંડક્ટર બસ પર જઇને વાયરને ઉંચો કરી રહ્યાં હતા ત્યારે જ પહેલા તેમને કરંટ લાગ્યો અને બાદમાં બસમાં કરંટ ઉતરી ગયો હતો, જેમાં 6 લોકોના ત્યા જ મોત થઇ ગયા છે, ઘટના પર સરકારે દુખ વ્યક્ત કર્યું છે, તંત્ર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યાં છે.

આ બનાવ બાદ મૃતકોના પરિવારજનોમાં આક્રોશ છે પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch