Thu,22 May 2025,6:26 am
Print
header

Breaking News: લાહોર, કરાંચી, રાવલપિંડી સહિતના 9 શહેરોમાં ભારતીય સેનાએ હુમલો કર્યો હોવાનો પાકિસ્તાનનો દાવો

લાહોર, કરાંચી, રાવલપિંડી સહિતના 9 શહેરોમાં ભારતે હુમલો કર્યાનો દાવો

12 ડ્રોનથી પાકિસ્તાનના 9 શહેરોમાં મોટો હુમલો થયાનો દાવો

અમેરિકાએ પોતાના નાગરિકોને લાહોર છોડવા એડવાઇઝરી જાહેર કરી, તાત્કાલિક પાકિસ્તાન છોડો

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન પર મોટો હુમલો કરી દીધો હોવાનો પાકિસ્તાનનો દાવો છે, પીઓકેમાં આતંકીઓના ઠેકાણાં નષ્ટ કર્યાં બાદ પાકિસ્તાને ભારતમાં 9 જગ્યાએ હુમલા કર્યાંના અહેવાલ છે, જેથી પાકે.અમૃતસર, કચ્છ સહિતની સરહદો પર હુમલા કર્યાં હતા, જો કે ભારતની ડિફેન્સ સિસ્ટમે આ હુમલા નાકામ બનાવી દીધા હતા. પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં ભારતના 15 નાગરિકોનાં મોત થયા છે અને ભારતે હવે વળતો જવાબ આપ્યો છે.

બહાવલપુર, મિયાંવાલીમાં ભારતીય સેનાના ડ્રોન ત્રાટક્યાં  

પાકિસ્તાનના અનેક શહેરોમાં હુમલા થયાના અહેવાલ સામે આવ્યાં છે. ભારતીય હુમલામાં પાક.ના HQ-9 લોન્ચર, રડાર અને નિયંત્રણ કેન્દ્રોનો સફાયો થઇ ગયો છે.

નોંધનિય છે કે પાકિસ્તાને અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપુરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજના વિસ્તારોમાં હુમલા કર્યાં છે. આ તમામ હુમલા ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યાં છે, જેમાં પાકિસ્તાનનના ડ્રોન અને મિસાઇલ તોડી પાડવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch