Wed,24 April 2024,8:25 pm
Print
header

બેઇઝિંગ નક્કિ કરે ભારત સાથે કેવા સંબંધો રાખવા છેઃ ભારતીય રાજદૂતે સંભળાવી દીધું

LAC પર ચીન ગેરકાયદેસર બાંધકામ બંધ કરે 

બેઇઝિંગઃ લદ્દાખ એલએસી પર ગલવાન ખીણમાં સૈન્ય ઘર્ષણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો તંગ બન્યાં છે, બંને દેશોની સેનાએ પીછેહઠ કરવાનો નિર્ણય કર્યો છે, પરંતુ આ બધાની વચ્ચે પણ ઘર્ષણ હજુ સમાપ્ત થયું નથી, ચીને સરહદ નજીક તેના સૈન્યનો મોટો કાફલો ઘણા દિવસો પહેલા જ તૈનાત કરી દીધો છે, આ મામલે બંને દેશો વચ્ચે શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 

ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ એક ઇન્ટરવ્યુંમાં ચીનને સંભળાવી દીધું છે કે હવે બેઇઝિંગ નક્કિ કરશે કે તેને ભારત સાથે કેવા પ્રકારના સંબંધો રાખવા છે, દ્વીપક્ષીય સબંધો કઇ દિશામાં લઇ જવા છે તે ચીન પર જ નિર્ભર છે. તેમને કહ્યું છે કે યુદ્ધથી બચવા ચીન એલએસી પર જે નિર્માણ કામ ચાલી રહ્યાં છે, તે બંધ કરે અહી ચીન રોડ અને બીજું ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યું છે. જે નિયમોનું ઉલ્લંઘન છે, તેમને યુદ્ધની સ્થિતી પેદા કરવાનો ચીન પર સીધો જ આક્ષેપ કર્યો છે. તેમને ચીનને ચેતવણી પણ આપી દીધી છે કે જો ચીન સરહદ પર સૈન્ય કાફલો વધારતું રહેશે તો સ્થિતી વધુ તંગ થશે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch