Thu,18 April 2024,8:13 pm
Print
header

ભારત ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની સિરીઝની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેતન શર્માની આગેવાનીમાં નવી પસંદગી સમિતિએ આજે એક વર્ચ્યુલ બેઠક યોજીને ટીમની પસંદગી કરી છે. આ ટીમમાં અક્ષર પટેલને તક મળી છે. વિરાટ કોહલી, ઈશાંત શર્માની વાપસી થઈ છે.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, અંજ્કિય રહાણે,  શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેએલ રાહુલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી20 સિરીઝ માર્ચ મહિનામાં રમાશે. જેની પ્રથમ મેચ 12 માર્ચ, બીજી 14 માર્ચ, ત્રીજી 16 માર્ચ, ચોથી 18 માર્ચ અને પાંચમી તથા અંતિમ ટી20 મેચ 20 માર્ચે રમાશે. આ બધી મેચનું આયોજન અમદાવાદમાં થશે.

ટેસ્ટ અને ટી-20 સિરીઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝની તમામ મેચ પુણેમાં રમાશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 23 માર્ચે રમાશે. ત્યાર બાદ 26 માર્ચે બીજી અને 28 માર્ચે ત્રીજી વનડે મેચ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ
5-9 ફેબ્રુઆરી, પ્રથમ ટેસ્ટ, ચેન્નઈ
13-17 ફેબ્રુઆરી, બીજી ટેસ્ટ, ચેન્નઈ
24-28 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ (ડે-નાઇટ), અમદાવાદ
4-8 માર્ચ, ચોથી ટેસ્ટ, અમદાવાદ

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch