Fri,26 April 2024,4:10 am
Print
header

ભાજપના વધુ એક દિગ્ગજ નેતાનું નિધન, તાજેતરમાં જ થયા હતા કોરોનાથી મુક્ત

(ફાઈલ તસવીર)

ચંદીગઢઃ દેશમાં કોરોનાનો કહેર સરકારી આંકડા મુજબ ઓછો થઈ રહ્યો છે દેશમાં અત્યાર સુધી અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે તે પૈકી ઘણાનો ભોગ પણ લેવાયો છે હવે હિમાચલ પ્રદેશના ભાજપના નેતા નરેન્દ્ર બરગટાનું કોરોનાથી મુક્ત થયા બાદ મોત થયું છે તેમના પુત્રએ આ જાણકારી આપી છે. નરેન્દ્ર બરાગટાના પુત્ર ચેતને ટ્વીટ કરીને લખ્યું મારા પિતા તથા આપણા સૌના પ્રિય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ મંત્રી નરેન્દ્ર બરગટા સ્વાસ્થ્ય સંબંધિત લાંબા સંઘર્ષ બાદ જીવનની અંતિમ લડાઈ હારી ગયા છે.

બરાગટા પીજીઆઈ ચંદીગઢમાં દાખલ હતા. શુક્રવારે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે તેમના ખબર અંતર પૂછ્યા હતા.તેઓ ઠાકુર સરકારમાં મુખ્ય ચીફ વ્હીપ હતા બરાગટા કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ પોસ્ટ કોવિડ સમસ્યાથી પીડાતા હતા. જેને લઈ તેમને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch