દરેક ઘરના રસોડામાંથી મળી આવતું લવિંગ ભોજનનો સ્વાદ અને ખુશ્બૂ બંનેમાં વધારો કરે છે. લવિંગ ઔષધિય ગુણોથી પણ ભરપૂર છે. તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત કેટલીય સમસ્યાઓને દૂર કરી શકાય છે.
દરરોજ રાત્રે લવિંગ ખાવાથી ફાયદો થાય છે
લવિંગમાં એક એવું આયુર્વેદિક તત્વ છે, જેનો આપણે મોટો ફાયદો થાય છે.રાત્રે સૂતાં પહેલા 2 લવિંગને સારી રીતે ચાવી-ચાવીને ખાવું જોઇએ.ત્યાર બાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લઇએ તો તેનાથી આપણા શરીરને કેટલાય પ્રકારના લાભ થઇ શકે છે. આમ કરવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
લવિંગ બીમારીઓને દૂર કરે છે
લવિંગમાં ફૉસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ, મેગ્નેશિયમ, આયર્ન સહિત કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. આ સાથે જ લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે. જેને કારણે કેટલીય બીમારીઓને દૂર કરવામાં લવિંગ મદદરૂપ સાબિત થઇ શકે છે.
મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે
જો તમને મોંઢામાંથી દૂર્ગંધ આવવાની પરેશાની છે તો રાત્રે સૂતાં પહેલા લવિંગ ખાવું તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ગળા સંબંધિત કોઇ સમસ્યા જેમ કે, ગળામાં ખરાશ, ગળામાં દુખાવો, ગળુ બેસી ગયું હોય, આ તમામ સમસ્યાઓને પણ લવિંગ દૂર કરી શકે છે. રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ ખાઓ અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો.
દાંતનો દુખાવો છૂમંતર થઇ જાય છે
દાંતમાં દુખાવાની સમસ્યા સર્જાય અથવા તો દાંતમાં સડો લાગી ગયો હોય તો પણ રાત્રે સૂતાં પહેલાં 2 લવિંગ સારી રીતે ચાવી ચાવીને ખાઓ. ત્યાર બાદ 1 ગ્લાસ ગરમ પાણી પી લો. લવિંગ ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. તેના સેવનથી માથાના દુખાવાની સમસ્યા પણ દૂર થાય છે.
લવિંગનો ઉકાળો પણ બનાવી શકો છો
જો તમે ચાવી-ચાવીને લવિંગ ખાઇ શકતા નથી તો તમે તેને સારી રીતે કૂટી લો. ત્યાર બાદ લવિંગના પાઉડરને 1 ગ્લાસ પાણીમાં નાંખીને 2-3 મિનિટ સુધી ઉકાળો, ત્યારબાદ ઉકાળો સામાન્ય ઠંડો થાય એટલે કે હુંફાળો ઉકાળો પીઓ. તેનાથી પણ તમને સ્વાસ્થ્ય સંબંધિત કેટલાય ફાયદાઓ થશે. જો બાળકોને કબજિયાત અથવા શરદી ખાંસીની સમસ્યા થઇ ગઇ હોય તો એક લવિંગને સારી રીતે કૂટી લો. અડધી ચમચી મધમાં નાંખીને બાળકોને ખવડાવી દો.
(આ સ્ટોરી લવિંગના આર્યુવેદિક ગુણો પર છે, તમને કોઇ બિમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે)
Big News: મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી, કોકિલાબેન હોસ્પિટલમાં કરાઇ એન્જીયોપ્લાસ્ટી | 2024-03-15 14:13:41
આ પાણી પીવાથી આંતરડામાં જમા થયેલી ગંદકી સાફ થાય છે, તે ફેટી લિવરમાં પણ અસરકારક છે | 2024-03-15 09:15:04
આ કઠોળ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે, દરરોજ એક મુઠ્ઠીથી દિવસની શરૂઆત કરો, આ રીતે ખાઓ | 2024-03-14 08:56:27
જો તમારું યુરિક એસિડ વધી ગયું હોય તો ફૂદીનાનો ઉપયોગ કરો, જાણો સૌથી અસરકારક પદ્ધતિ | 2024-03-13 08:50:53
ડાયાબિટીસના દર્દીઓએ આ વસ્તુને છાશમાં ભેળવીને પીવાથી થશે લાભ | 2024-03-12 10:03:07