Wed,24 April 2024,3:47 pm
Print
header

સીતાફળ વિશેનો તમારો ભ્રમ તોડો, જાણો તેનું સેવન કરવું જોઇએ કે નહીં

સીતાફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વો હોય છે. આ ફળને લઈને લોકોના મનમાં ઘણી ગેરમાન્યતાઓ છે. લોકો તેને એવા રોગોમાં ટાળે છે જેમાં તેનું સેવન કરવું જોઈએ.

આવો સીતાફળ વિશે વાત કરીએ, તેની સાથે જોડાયેલી માન્યતાઓ શું છે અને કેટલી ખોટી છે.

સીતાફળ દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે. આ સ્વાદિષ્ટ ફળ ત્વચા, આંખોની રોશની, વાળ અને હિમોગ્લોબિનનું સ્તર પણ સારું રાખે છે. સીતાફળમાં બાયોએક્ટિવ તત્વો હોય છે જે એન્ટી-ઓબેસોજેનિક, એન્ટી ડાયાબિટીક અને કેન્સર વિરોધી ગુણોથી ભરપૂર હોય છે.

સીતાફળ સંબંધિત માન્યતાઓ અને હકીકત

માન્યતા પ્રથમ - ડાયાબિટીસ માટે હાનિકારક

હકીકત- જેમને ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય તેમણે સીતાફળનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ મોસમી ફળો ફાયદાકારક છે.

બીજી માન્યતા - હૃદયના દર્દીઓએ સીતાફળથી દૂર રહેવું જોઈએ

હકીકત-સીતાફળમા ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી હોય છે. તેનું સેવન કરવાથી હૃદયની સાથે રક્ત પરિભ્રમણ પણ સારું રહે છે.

ત્રીજી માન્યતા - સ્થૂળતા ધરાવતા લોકોએ ટાળવું જોઈએ

હકીકત- સીતાફળ વિટામિન B કોમ્પ્લેક્સ ખાસ કરીને વિટામિન B 6 નો સારો સ્ત્રોત છે. આ સાથે પેટ ફૂલવાની સમસ્યામાં પણ ફાયદાકારક છે.

ચોથી માન્યતા - PCOD (અંડાશયના રોગ) થી પીડિત મહિલાઓએ સીતાફળ ન ખાવું જોઈએ

હકીકત- પીસીઓડીથી પીડિત મહિલાઓ માટે સીતાફળ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે તે પ્રજનન ક્ષમતાને જાળવવામાં અને ચીડિયાપણું દૂર કરવામાં પણ અસરકારક છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar