Wed,24 April 2024,12:22 am
Print
header

હરિયાણાના જેટલા જવાનો શહીદ થયા છે એટલા તો ગુજરાતમાંથી સેનામાં પણ નથી- દુષ્યંત ચૌટાલાનો બફાટ

હરિયાણા: વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં હવે નેતાઓ ગમે તેમ બફાટ કરી રહ્યાં છે, જનનાયક જનતા પાર્ટી(JJP)ના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ પર નિશાન સાધતા ગુજરાત પર પણ કટાક્ષ કર્યો છે, કહ્યું કે અમને રાષ્ટ્રવાદ ન શીખવાડો, અમારા જેટલા જવાનો બોર્ડરની સુરક્ષામાં શહીદ થયા છે, એટલા તો કદાચ ગુજરાતમાંથી સેનામાં પણ ભરતી નથી થયા, સેનામાં હર 10મો શહીદ જવાન હરિયાણાનો છે, ચૌટાલાએ હવે રાજ્યો વચ્ચે ઘર્ષણ થાય તેવી રાજનીતિ અપનાવી છે, હરિયાણાથી સેનામાં ભરતી થયેલા જવાનો પર ગુજરાતની જનતાને પણ ગર્વ છે, પરંતુ અહી ચૌટાલા જેવા રાજકારણીયો સેનાના નામે હવે દેશમાં ઝેર ફેલાવી રહ્યાં છે. 

દુષ્યંત ચૌટાલાની આવી નિમ્ન કક્ષાની રાજનીતિ સામે ભાજપના નેતાઓ અને જનતા પણ રોષે ભરાઇ છે, સેનાના નામે રાજકારણ કરતા આવા લોકોને વિધાનસભાની ચૂંટણીમાં જનતા જવાબ આપશે તે નક્કી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch