(ગુણાતીત ચરણ સ્વામી)
વડોદરાઃ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહેતી સ્વામિનારાયણ સંસ્થા હરિધામ સોખડા વધુ એક વખત વિવાદમાં આવી છે. હરિધામમાં રહેતા 69 વર્ષીય ગુણાતીત ચરણ સ્વામીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.હરિધામના વહિવટદારો આપઘાતની આ ઘટના પોલીસથી છુપાવીને અંતિમક્રિયાની તૈયારી કરી રહ્યાં ત્યારે જ પોલીસ પહોંચી હતી, મૃતદેહનો કબ્જો લઇને એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો, જ્યાં મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયુ હતુ. જેમાં ગળા ફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
ગુણાતીત ચરણ સ્વામીજીએ બુધવારે રાત્રે તેમના રૂમની છતમાં લાગેલા લોખંડના હુકમાં 'ગાતરીયુ' (સંતો પહેરે તે ભગવા રંગનું ઉપવસ્ત્ર) બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમની બાજુના રૂમમાં રહેતા પ્રભુપ્રિય સ્વામી બુધવારે ગુણાતીત ચરણ સ્વામીને ઉકાળો આપવા માટે આવ્યાં હતા ત્યારે રૂમ અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવ્યાં છતા નહીં ખોલતા બીજી ચાવી લાવીને ખોલતા ગુણાતીત ચરણ સ્વામી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.
આ ઘટના અંગે પોલીસને જાણ કરવાના બદલે હરિધામના વહિવટદારોએ ગુણાતીત ચરણ સ્વામીનો મૃતદેહ નીચે ઉતાર્યો હતો તેમના સંબંધીઓને જાણ કરી હતી. જે બાદ સંબંધીઓ આવી જતા મૃતદેહની અંતિમક્રિયા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામા આવી હતી. મૃતદેહની સ્નાનવિધિ અને પુજા બાદ હરિઘાટ લઇ જવાયો હતો અગ્નિદાહ આપવાની તૈયારી ચાલતી હતી ત્યારે જ પોલીસે આવીને મૃતદેહનો કબ્જો લઈ લીધો હતો. એસએસજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાયું હતું. મૃતદેહમાંથી વીસેરા લઇને ફોરન્સિક તપાસ માટે સુરત મોકલી આપવામાં આવ્યાં છે, ડોક્ટરોએ ગુણાતીત ચરણ સ્વામીનુ મૃત્યુ 'હેંગીગ' એટલે કે ફાંસાના કારણે થયુ હોવાનો રિપોર્ટ આપતા પોલીસ આપઘાત છે કે હત્યા એ બંન્ને થિયરી પર તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ બહાર આવી છે કે ગુણાતીત ચરણ સ્વામી અગાઉ બે ત્રણ વખત હરિધામ છોડીને જતા રહ્યાં હતા બાદમાં પરત આવ્યાં હતા, ઉપરાંત તેઓ ફેંફસાની બીમારથી પીડાતા હોવાથી માનસિક તણાવમાં રહેતા હતા આવા કારણોથી તેઓએ ફાંસો ખાધો છે કે નહીં તેની તપાસ કરાશે. તેઓને કોઇની સાથે મતભેદ હતા કે નહીં, કોઇની સાથે ઝઘડો થયો હતો કે કેમ, છેલ્લે તેઓએ કોની સાથે વાત કરી હતી જેવા મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી, 87 લોકોનાં મોત, 2500 થી વધુ મકાનોને થયું નુકસાન | 2024-04-20 07:59:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43