Wed,24 April 2024,10:27 am
Print
header

જો તમે ખરતા વાળથી પરેશાન છો તો અજમાવો એક ઉપાય

દરેક લોકો ખરતા વાળથી પરેશાન છે ત્યારે આ ઉપાય કરવાથી ઘણો ફરક જોવા મળશે, કેસ્ટર ઓઈલને એરંડા તેલ-દિવેલ કહેવામાં આવે છે જે તેલમાં ઘણા ઔષધીય ગુણધર્મો છે. દિવેલ વાળ માટે વરદાનથી ઓછું નથી. તેનો ઉપયોગ બધી સમસ્યાઓ દૂર કરવા માટે થાય છે. સગર્ભા સ્ત્રીઓ પણ ડોક્ટરની સલાહ પર ડિલિવરી પહેલાં એરંડા તેલની અમુક માત્રામાં સેવન કરી શકે છે. જે લોકોના વાળ વધતા નથી, વાળ સુકા અને નિર્જીવ થઈ ગયા છે નાની ઉંમરે સફેદ થઈ ગયા છે, તેઓએ દિવેલનો ઉપયોગ કરવો જોઈએ.

આજકાલ યુવાનોના વાળ સફેદ થઈ જવા લાગ્યા છે. આવી સ્થિતિમાં એરંડા તેલનો વપરાશ ઉપયોગી સાબિત થઈ શકે છે. એરંડા તેલ વાળને સફેદ થતા અટકાવે છે વાળ કાળા અને જાડા બને છે. વાળને નરમ અને સરળ બનાવવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ એરંડા તેલ પોતે જ એક મહત્વનું કન્ડિશનર છે. તેને એલોવેરા જેલ, લીંબુ અને મધ સાથે વાળમાં લગાવીને એક કલાક માટે રહેવા દો. થોડા સમય પછી વાળને ધોઈ લો. એનાથી વાળ મજબૂત અને નરમ બને છે. જે લોકોના વાળ બે ફાડા થઈ જાય છે. તેઓએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર દિવેલ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળ તૂટવાની સમસ્યા દૂર થાય છે. દિવેલ એન્ટિ ઈન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણથી ભરપૂર હોય છે તેના ઉપયોગથી વાળ મજબૂત થાય છે, વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે વાળનો ગ્રોથ ઝડપી થાય છે. દિવેલ થોડું ચીકણું હોઈ તેને નાળિયેર તેલમાં મિશ્ર કરીને તેનો ઉપયોગ કરી શકો છો. તેને એકથી બે કલાક વાળ પર રાખીને પછી માથું ધોઈ લો. જો કે તમારે કોઇ પણ મામલે ડોક્ટરની સલાહ પણ લેવી જરૂરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar