Wed,31 May 2023,2:14 am
Print
header

ગુયાનામાં એક શાળાના શયનગૃહમાં લાગી આગ, 19 બાળકોનાં મોત

દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનાની એક શાળાના શયનગૃહમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 19 બાળકોનાં મોત થયા હતા. માહદિયા માધ્યમિક શાળાની કન્યા છાત્રાલયમાં આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. રાષ્ટ્રીય ફાયર બિગ્રેડના જણાવ્યાં અનુસાર શાળાના શયનગૃહમાં આગ ફાટી નીકળતા 19 બાળકોના મોત થયા હતા જયારે અન્ય 9 લોકો ઘાયલ થયા છે. એક પીડિતને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત ગંભીર છે.

ગુયાના સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રેસ નિવેદન અનુસાર, આ ઘટના રાજધાની જ્યોર્જટાઉનથી 320 કિમી દક્ષિણમાં માહદિયા શહેરમાં માધ્યમિક શાળામાં બની હતી. આ હોસ્ટેલમાં 12 થી 18 વર્ષની વયજૂથના આદિવાસી સમુદાયના બાળકો રહે છે. મૃતકોમાં 18 છોકરીઓનો સમાવેશ થાય છે. ગુયાનાના પ્રમુખ ઈરફાન અલીએ આ ઘટનાને દુઃખદ, પીડાદાયક અને ભયાનક ગણાવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જ્યોર્જટાઉન ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય લોકોને માહડિયા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch