Tue,23 April 2024,6:09 pm
Print
header

ચૂંટણી પહેલા જાહેરાત, 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય- gujarat post

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર રોજગારી વધારવા કોઇને કોઇ નિર્ણય કરી રહી છે. હવે 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે 11મી ઓક્ટોબર,2022 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ધોરણ 1 થી 5માં 1000 અને ધોરણ 6 થી8 માં 1600 એમ કુલ મળીને 2600 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. 

ધોરણ 1 થી 5માં 1000, ગણિત-વિજ્ઞાન વિષય માટે 750, અન્ય ભાષાના વિષયો માટે 250 અને સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે. આ ભરતી પ્રક્રિયામાં વિધવા મહિલા ઉમેદવારોને સરકાર દ્વારા પાંચ ટકા વધારાના ગુણ આપવાના નિર્ણયનો અમલ કરવામાં આવશે.

ચૂંટણી પહેલા ભાજપ સરકારના આ નિર્ણયથી સરકારી નોકરી વાચ્છુકોને મોટો ફાયદો થશે. સરકારના આ નિર્ણયથી રોજગારીની નવી તકો ઉભી થઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch