(અંબાજીમાં પીએમ મોદીના રોડ શોની તસવીર)
10 ઓક્ટોમ્બરના રોજ ફરી ગુજરાત આવી શકે છે પીએમ મોદી
બે દિવસના ગુજરાત પ્રવાસમાં કરશે પ્રચાર
રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જેને લઈને ભાજપ ગુજરાતમાં કોઈ કચાશ છોડવા માંગતું નથી. પીએમ મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂરો કરીને દિલ્હી પરત ફર્યાં છે ત્યાં જ તેમના ફરી ગુજરાત પ્રવાસની ઘડીઓ ગણાઈ રહી છે. મોદી 10 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી શકે છે. રાત્રી રોકાણ જામનગર અથવા રાજકોટ કરશે. 11 ઓક્ટોબરના રોજ જામનગરના જામકંડોરણામાં તેઓ સંબોધન કરશે. મોદી હવે સૌરાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરાવવાની સાથે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. આ સાથે જ તેમણે મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યું હતુ. આ મેટ્રો ટ્રેન બીજી ઓક્ટોબરથી સામાન્ય નાગરિકો માટે દોડવા લાગશે. થલતેજ-વસ્ત્રાલ રૂટની ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીનો 21.16 કિમી સુધીનો રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 6.53 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. અંડરગ્રાઉન્ડ રૂટમાં કુલ 4 સ્ટેશન તૈયાર કરવામાં આવ્યાં છે.
થલતેજ-વસ્ત્રાલ ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સરદાર પટેલ સ્ટેડિયમ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર સ્ટેશન, કાંકરિયા ઈસ્ટ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ ગામને આવરી લેવામાં આવશે. બપોર બાદ અંબાજી ગબ્બર ખાતે માતાની આરતી કરી હતી અને સભાને સંબોધી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
કિરણ પટેલ 10 જ વિઝિટિંગ કાર્ડ છપાવતો હતો, પોલીસ પૂછપરછમાં કરી કબૂલાત- Gujarat Post | 2023-04-13 11:45:01
ભાજપ કેમ બીજી 26 બેઠકો ન જીતી શક્યું ? પાટીલે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પાસે માંગ્યો ખુલાસો- Gujarat Post | 2022-12-19 15:06:22
કેજરીવાલનો નવો અંદાજ, કહ્યું- ગાયનું દૂધ તો કોઇ કાઢી શકે પરંતુ અમે ગુજરાતમાં આખલાનું દૂધ કાઢી લાવ્યાં ! | 2022-12-19 14:49:42
કેજરીવાલનું સપનું, ભલે અત્યારે 5 બેઠકો મળી હોય, પરંતુ 2027માં ગુજરાતમાં અમારી સરકાર બનશે | 2022-12-18 18:21:19
વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરી, ડે.સ્પીકર તરીકે જેઠા ભરવાડનું નામ ફાઇનલ | 2022-12-15 16:22:20
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01