Sat,20 April 2024,8:11 am
Print
header

24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં 376 કેસ, વધુ 23 લોકોનાં મોત

રાજ્યમાં મોતનો કુલ આંકડો 938 થયો

ગાંધીનગરઃ રાજ્યમાં આજે પણ કોરોના વાઇરસના નવા કેસોનો આંકડો વધુ આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 376 કેસ નોંધાયા છે અને વધુ 23 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે વધુ 410 લોકો ડિસ્ચાર્જ થયા છે, રાજ્યમાં કોરોનાના કેસનો કુલ આંકડો 15205 થયો છે, જેમાંથી 7545 દર્દીઓ સાજા થયા છે, તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે. રાજ્યમાં મોતનો કુલ આંકડો 938 થયો છે.

અમદાવાદમાં નવા 256 કેસ આવ્યાં છે, તે સાથે જ શહેરમાં કુલ 11097 કેસ કોરોના પોઝિટિવ થયા છે, જેમાંથી 764ના મોત થઇ ગયા છે અને 4950 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, સુરતમાં 34, વડોદરામાં 29, મહિસાગર 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગર 6, ગાંધીનગર 5, નવસારી 4, રાજકોટ 3, આણંદ, પાટણ, કચ્છમાં 2-2 કેસ, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર પોરબંદર અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયા છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch