Thu,25 April 2024,6:31 am
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા IAS અધિકારીઓની બદલી, થેન્નારસન બન્યાં અમદાવાદના કમિશનર- gujarat post

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે 23 આઇએએસ અધિકારીઓની બદલી કરી છે,જેમાં એમ.થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે, ઉપરાંત અમદાવાદના કલેક્ટર તરીકે ધવલ પટેલને જવાબદારી આપવામાં આવી છે. આર.એ.મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા છે. 

બદલીમાં ડી.એસ.ગઢવીને આણંદના કલેકટર તરીકે મુકાયા છે.બી.કે પંડ્યાને મહિસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા છે. પ્રવિણા ડી.કે. ગાંધીનગરના નવા કલેક્ટર બન્યાં છે. ચૂંટણી પહેલા હજુ પણ રાજ્ય સરકાર બીજા અધિકારીઓની બદલીઓ કરી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch