તૌકતે વાવાઝોડાને કારણે પશુધનને નુકશાન થયું છે, વાવાઝોડાને કારણે પશુઓનાં મોત થયા છે.
સરકાર પશુઓ માટેનો આહાર પણ આપેઃ હાર્દિક પટેલ
અમદાવાદઃ ગુજરાતમા તૌકતે વાવાઝોડાને કારણે માત્ર ખેતી કે મકાનોમાં જ નુકસાન નથી થયું પરંતુ અનેક પશુઓ પણ વાવાઝોડાને કારણે મરણ પામ્યાં છે.જો કે હજુ સુધી સરકારે પશુધન સહાય માટે કોઇ રાહત પેકેજ જાહેર નથી કર્યું, ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને પશુધન નુકસાન મામલે વળતર આપવા માટે માંગણી કરી છે.
વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વળતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત માટે એક હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ગઇકાલે ખેતીમાં થયેલી નુકસાનીના વળતરને લઇને રુપિયા 500 કરોડનું રાહત પેકેજ રૂપાણી સરકારે જાહેર કર્યું છે, પરંતુ માલધારીઓ અને પશુપાલકોની સ્થિતિ દયનીય બની છે.ત્યારે હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને માંગણી કરી છે પશુધન અને માલધારીઓ માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે.
જેમાં અસરગ્રસ્ત પશુપાલકોની યાદી તૈયાર કરવી, પશુઓના અવસાન દીઠ અને ઇજાગ્રસ્ત પશુને સારવાર માટેનો ખર્ચ આપવો, હાલ ઘાસચારો પલળી ગયો છે. જેથી પશુઓ માટે ખોરાક આપવો, પશુ આહાર તાલુકા અને ગ્રામ્ય સ્તરે સરળતાથી મળે તે માટે સરકારે આયોજન કરવું જોઇએ, જેવી બાબતો તાકીદે ધ્યાનમાં લેવા માટે વિનંતી કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ કન્નૌજથી આજે ભરશે ઉમેેદવારી પત્રક- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
પટનામાં JDU નેતા સૌરભ કુમારની ગોળી મારીને કરાઇ હત્યા, સ્થાનિક લોકોમાં હોબાળો | 2024-04-25 08:39:29
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01