પરીક્ષા વગર પાસ કરાશે વિદ્યાર્થીઓને
ધોરણ-1થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોના વાઇરસના ડર વચ્ચે મહત્વનો નિર્ણય
શિક્ષકોને સ્કૂલોમાં જવાથી મુક્તિ
ગાંધીનગરઃ કોરોના વાઇરસને લઇને રાજ્ય સરકાર મહત્વના નિર્ણયો લઇ રહી છે, ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે, એટલે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેશે નહીં, તેઓ પરીક્ષા આપ્યાં વગર જ આગળના ધોરણમાં જઇ શકશે, તમામની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી છે, સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય કર્યો છે. જે ગુજરાત શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓને લાગુ પડશે.
રાજ્ય સરકારે એવો પણ નિર્ણય કર્યો છે કે પ્રાયવેટ અને સરકારી સ્કૂલોના શિક્ષકોને સ્કૂલોમાં જવાથી મુક્તિ મળે, તેઓને રજા આપી દેવામાં આવી છે, આગામી જૂનથી નવું સત્ર ચાલુ કરવાની વાત છે, ત્યારથી સ્કૂલો શરૂ થશે, જો કે કોરોના વાઇરસનો કહેર કેટલો સમય ચાલે છે તેના પર આગામી સત્ર નક્કિ થશે.
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો હતો, નોંધનિય છે કે રાજ્યમાં કોરોના વાઇરસના 33 કેસ સામે આવ્યાં પછી રાજ્ય સરકાર દ્વારા એક પછી એક મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યાં છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12