ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નવા મુખ્યપ્રધાનના નામોને લઇને ચર્ચાઓ થઇ રહી છે કોંગ્રેસના નેતાઓ પણ મુખ્યપ્રધાન બદલાશે તેવા નિવેદનો આપી ચુક્યાં છે, જો કે આ બધાની વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. તેમને કહી દીધું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સારૂં કામ કરી રહ્યાં છે આગામી ચૂંટણી પણ ભાજપ તેમના જ નેતૃત્વમાં લડશે. એટલે કે હવે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ કોઇ ફેરફાર કરશે નહીં.
કમલમમાં ધ્વજવંદન કાર્યક્રમ વખતે પાટીલે આ વાત કરતા હવે રૂપાણીના વિરોધીઓની બોલતી બંધ થઇ ગઇ છે. ભાજપ નેતાએ એમ પણ કહી દીધું કે રાજ્યમાં અરાજકતા ફેલાવવા કોંગ્રેસીઓએ આ મુદ્દો ઉપાડ્યો હતો. નોંધનિય છે કે કોરોનામાં વિજય રૂપાણી તંત્ર પર નિષ્ક્રીયતાના આરોપ લાગ્યા હતા, નાગરિકો નારાજ હોવાથી ભાજપ સીએમ બદલશે તેવી ચર્ચાઓ હતી. જો કે હવે આ વાત પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37