Thu,25 April 2024,7:29 am
Print
header

મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાય છે તેવી ચર્ચાઓ વચ્ચે પાટીલનું સૌથી મોટું નિવેદન

ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નવા મુખ્યપ્રધાનના નામોને લઇને ચર્ચાઓ થઇ રહી છે કોંગ્રેસના નેતાઓ પણ મુખ્યપ્રધાન બદલાશે તેવા નિવેદનો આપી ચુક્યાં છે, જો કે આ બધાની વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટું નિવેદન આપીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે. તેમને કહી દીધું છે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સારૂં કામ કરી રહ્યાં છે આગામી ચૂંટણી પણ ભાજપ તેમના જ નેતૃત્વમાં લડશે. એટલે કે હવે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી સુધી ભાજપ કોઇ ફેરફાર કરશે નહીં.
 
કમલમમાં ધ્વજવંદન કાર્યક્રમ વખતે પાટીલે આ વાત કરતા હવે રૂપાણીના વિરોધીઓની બોલતી બંધ થઇ ગઇ છે. ભાજપ નેતાએ એમ પણ કહી દીધું કે રાજ્યમાં અરાજકતા ફેલાવવા કોંગ્રેસીઓએ આ મુદ્દો ઉપાડ્યો હતો. નોંધનિય છે કે કોરોનામાં વિજય રૂપાણી તંત્ર પર નિષ્ક્રીયતાના આરોપ લાગ્યા હતા, નાગરિકો નારાજ હોવાથી ભાજપ સીએમ બદલશે તેવી ચર્ચાઓ હતી. જો કે હવે આ વાત પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch