ગાંધીનગરઃ ગુજરાતમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. સવારે 11.30 કલાકે મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાશે.શપથવિધિ સ્થળના મુખ્ય સ્ટેજ પર 28 ખુરશીઓ ગોઠવાઈ છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં સભ્યો 28 હોય શકે છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 સભ્યો છે અને બંધારણ મુજબ વધુમાં વધુ 27 મંત્રીઓની નિમણૂંક કરી શકાય છે. એટલે કે, ગૃહની કુલ સંખ્યાના 15%. આમ, મહાત્મા મંદિરના સ્ટેજ પર 27 ખુરશીઓ દેખાતા મંત્રીમંડળના કદનો અંદાજો અત્યારથી જ લગાવી શકાય છે.
સ્ટેજ પર સૌથી વધુ સંખ્યા કરતા એક ખુરશી વધુ ગોઠવવામાં આવી છે. આ સાથે જ પૂર્ણ કદના મંત્રી મંડળની અટકળો તેજ થઈ છે. જો કે અંતિમ સમયે સરકાર તરફથી સંકેતો મળતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર થઈ શકે છે. મુખ્યમંત્રી સહિત પૂર્ણ કદના મંત્રી મંડળમાં 15 ટકા પ્રમાણે 27 મંત્રીઓનો સમાવેશ થઈ શકે છે.
શપથ વિધિને લઈને મહાત્મા મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. 2 Dysp, 20 પોલીસ ઇન્સ્પેકટર,30 પીએસઆઈ ઉપરાંત 450 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત મૂકાયો છે. ગઈકાલે મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાતને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી, હવે આ મુલાકાત અત્યારે છે.
ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. રાજીનામું આપનાર 4 કે 5 મંત્રીઓ રિપીટ થઈ શકે છે. તેમાંથી કેટલાકને પ્રમોશન તો કેટલાકના ખાતા બદલાઈ શકે છે.
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
Bihar Election Results: NDA માટે રવીન્દ્ર જાડેજા સાબિત થયા ચિરાગ, બિહાર ચૂંટણીમાં નિભાવ્યો ફિનિશરનો રોલ! | 2025-11-14 18:41:19
બિહારમાં ભાજપની નવી બ્લૂ પ્રિંટઃ ભગવા રંગની ધૂમે ભાજપને બનાવ્યો સિનિયર પાર્ટનર, ભવિષ્યમાં બદલાઈ શકે છે ગઠબંધનનું સ્વરૂપ | 2025-11-14 18:38:21
કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ | 2025-11-14 18:34:59
Bihar Assembly Elections: NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું, 160 થી વધુ બેઠકો પર આગળ | 2025-11-14 09:34:41
ગોપાલ ઇટાલીયા પર પ્રહાર, ધાનાણીએ કહ્યું આપ અને બાપે જગતના તાતને બારોબાર ગીરવે મુકવાનુ ષડયંત્ર રચ્યું | 2025-11-03 22:11:51
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો | 2025-11-10 15:55:08
ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં | 2025-11-09 10:46:00
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત | 2025-11-08 17:52:34