અમદાવાદઃ દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિક જમાતના ધાર્મિક કાર્યક્રમ પછી દેશમાં કોરોનાના કેસ વધી ગયા છે, ધાર્મિક કાર્યક્રમ વખતે લોકડાઉનનો અમલ ન કરનારા અહીની 6 માળની બિલ્ડીંગમાં રોકાયેલા 2000 લોકોને કારણે આજે ચિંતા વધી ગઇ છે, ધાર્મિક પ્રસંગ મરકઝમાંથી પરત ફરેલા 24 લોકોના કોરોના કેસ પોઝિટિવ આવ્યાં છે, અંદાજે 300 લોકોને કોરોનાનો ચેપ લાગ્યાની શક્યતા છે.
10 લોકોનાં મોત થઇ ગયા છે. સૌથી વધુ તેલંગાણામાં મોત થયા છે, દિલ્હીથી ગુજરાતમાં પણ અનેક લોકો આવ્યાં છે, અંદાજે 1000 લોકો ગુજરાતમાં આવ્યાં છે, તેઓ કવોરોન્ટાઇન થવાને બદલે બહાર ફરી રહ્યાં હતા, અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી 29 લોકોને દરિયાપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ અને એસઓજીએ ઝડપી લીધા છે, તેમને કવોરોન્ટાઇન કરાયા છે, તેમાથી મોટાભાગના લોકો ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યુ છે.
દિલ્હીથી કાર્યક્રમમાં ભાગ લઇને પાછા આવેલા ભાવનગરના 13 અને બોટાદના 4 લોકોને કવોરોન્ટાઇન કરાયા છે, આ બેદરકાર લોકો પરત આવીને કવોરોન્ટાઇન પણ થયા ન હતા અને કાયદાનો ભંગ કર્યો છે, સુરતમાંથી, વલસાડમાંથી 50 રાજકોટમાંથી 12, મોરબીના 3, જૂનાગઢમાંથી 5 અને અમદાવાદમાંથી 300 જેટલા લોકો અહી ગયા હોવાની માહિતી પોલીસને મળી છે, આ તમામની શોધખોળ થઇ રહી છે, તેઓ જેમના સંપર્કમાં આવ્યાં છે, તેવા લોકોને પણ ક્વોરોન્ટાઇન કરાશે, એક અંદાજ પ્રમાણે દિલ્હીના આ ધાર્મિક કાર્યક્રમમાં ગયેલા અને તેમના સંપર્કમાં આવેલા 2000 લોકોને ક્વોરોન્ટાઇન કરવાની કાર્યવાહી ચાલુ છે.
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
વૈશ્વિક કક્ષાના સુરતના ડાયમંડ બોર્સને લોકો ભૂતિયું બિલ્ડિંગ કહેવા લાગ્યા, જાણો શું છે કારણ ? | 2024-04-17 08:20:49
સાયબર ક્રાઈમ બ્રાન્ચના નકલી ઓફિસર બનીને છેતરપિંડી કરનારા આરોપીઓની ધરપકડ, ઉદ્યોગપતિને નકલી નોટિસ મોકલી હતી | 2024-04-17 08:02:16
ACB ટ્રેપઃ ગાંધીનગરની આ પંચાયતના તલાટી કમ મંત્રીએ માંગી હતી રૂ.2 લાખની લાંચ, રૂ.50 હજાર લેતા ઝડપાયા | 2024-04-16 20:36:58
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57