Wed,24 April 2024,3:58 pm
Print
header

રાજ્યમાં 12,995 દર્દીઓ સાજા થયા, વધુ 133 લોકોનાં કોરોનાથી મોત થઇ ગયા

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનામાંથી સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે આજે વધુ 12,995 દર્દીઓ સાજા થયા છે જ્યારે 12955 વધુ કોરોનાના કેસ નોંધાયા છે વધુ 133 લોકોના મોત સાથે કુલ મોતનો આંકડો 7912 થયો છે 792 દર્દીઓ આજે પણ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,47,332 પર પહોંચી છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે અમદાવાદ સહિતના અનેક શહેરોમાં કોરોનાના બેડ ખાલી થઇ રહ્યાંનો સરકારનો દાવો છે જો કે ગામડાઓમાં સ્થિતી હજુ ચિંતાજનક છે અહીં કોરોનાના ટેસ્ટ માટે પણ લોકોએ હેરાન થવું પડી રહ્યું છે તાલુકા અને જિલ્લા કક્ષાએ કોરોનાના દર્દીઓને પુરતી સુવિધાઓ ન મળતા તેમની મુશ્કેલીઓ વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch