Fri,19 April 2024,1:51 pm
Print
header

મોટો નિર્ણય, કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને મહિને મળશે આટલા રૂપિયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે મુખ્યમંત્રી બાળસેવા યોજના જાહેર કરી છે. જેની શરુઆત આવતીકાલથી થશે, આ યોજનામાં જે બાળકો અનાથ બન્યાં છે તેમનું ધ્યાન રાખવામાં આવશે, જેમના માતા-પિતા બંનેનું કોરોનાથી મૃત્યું થયું છે તેવા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનાનો લાભ મળશે. આ યોજનાનો લાભ લેનારા બાળકો 18 વર્ષના થાય ત્યા સુધી દર મહિને તેમને 4 હજાર રૂપિયા સહાય આપવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યું પામેલા માતા પિતાના બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં દર મહિને બાળક દીઠ રૂપિયા 4000 માસિક સહાયતા અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 6000 રૂપિયા બાળકને અપાશે.આવા બાળકોને વિદેશ અભ્યાસ માટે મદદ કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ જાહેરાત અનુસાર કોરોનાને કારણે માતાપિતા ગુમાવનાર અને નિરાધાર થયેલા બાળકોની ચિંતા કરી કેન્દ્ર સરકારે સંવેદના દાખવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ આવા બાળકો માટે વિશેષ યોજના શરુ કરી છે. જે બાળકોના માતાપિતા મૃત્યું પામ્યા હોય તેવા બાળકોના ભરણપોષણ, આરોગ્ય, રોજગારીનું ધ્યાન રાજ્ય સરકાર રાખશે. આવા બાળકો 18 વર્ષના થાય ત્યાં સુધી બાળક દીઠ 4000 માસિક સહાયતા અપાશે. 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરુ કરવામાં આવી છે જેમાં 24 વર્ષ સુધી બાળકોને 6000 રૂપિયાની સહાય અપાશે. જે બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું થાય તો આવકની મર્યાદામાંથી મુક્તિ અપાશે અને રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ માટેની લોનની યોજનામાં આ બાળકોને અગ્રતાક્રમ અપાશે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરનાર આવા બાળકોની 50 ટકા ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch