ઘણીવાર લોકો ઘી ખાવાનું ટાળે છે. તેમને લાગે છે કે ઘી ખાવાથી વજન વધે છે. જેનું વજન પહેલેથી જ વધારે છે, તેઓ ઘી તરફ નજર પણ નથી કરતા. પરંતુ, આમ કરવાથી તમને ઘીમાં રહેલા પોષક તત્વોનો લાભ મળતો નથી. એવું વિચારવું ખોટું છે કે ઘી ખાવાથી વજન વધે છે. જો કોઈ પણ વસ્તુ સીમિત માત્રામાં ખાવામાં આવે તો તેના ફાયદા વધુ હોય છે, નુકસાન ઓછું હોય છે. જ્યારે તમે સવારે ખાલી પેટે ઘીનું સેવન કરો છો તેથી તેના ઘણા ફાયદા છે.
સવારે ખાલી પેટ ઘી ખાવાના સ્વાસ્થ્ય લાભ
ઘી એ માખણનું સ્પષ્ટ સ્વરૂપ છે. આયુર્વેદ અનુસાર, તે નાના આંતરડાની શોષણ ક્ષમતામાં સુધારો કરે છે, આપણા જઠરાંત્રિય માર્ગના એસિડિક Phને ઘટાડે છે. આ સ્થિતિમાં ઘીનું સેવન પેટ માટે આરોગ્યપ્રદ છે.
તમે ખાલી પેટે એક ચમચી ઘી ખાઓ છો તો ખાવાની ખરાબ આદતો સારી થઈ જાય છે. ઊંઘનો અભાવ, બિનઆરોગ્યપ્રદ આહાર, દિવસભર બેસી રહેવાની ટેવ, શારીરિક રીતે ઓછું સક્રિય રહેવું, એન્ટીબાયોટીક્સનો વધુ પડતો ઉપયોગ જેવા અનેક કારણોને લીધે પેટનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે. જો તમે આમાંથી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ તો તેની સારવાર કરવી જરૂરી છે. તમે પ્રાકૃતિક પદ્ધતિઓ અથવા સ્વસ્થ આહારની આદતો અપનાવીને પણ આ સારવાર કરી શકો છો. આ માટે ખાલી પેટે ઘીનું સેવન કરવું પણ ફાયદાકારક છે.
- ઘી ખાવાથી પાચનતંત્ર સાફ થાય છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમારે સવારે ઘીનું સેવન કરવું જોઈએ.
- જો તમે યંગ, ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન ઈચ્છો છો તો પણ તમે ખાલી પેટ ઘીનું સેવન કરી શકો છો.
- અનિયમિત આંતરડાની ગતિ સુધારવા માટે ઘી ખાઈ શકાય છે. જેમને કબજિયાત હોય તેમણે સવારે ખાલી પેટે ઘી ખાવું જોઈએ.
- ઘી ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, આ કારણે તમે વધુ પડતું ખાવાનું ટાળો છો,જેને કારણે વજન વધતું નથી, પરંતુ તે નિયંત્રણમાં રહે છે.
- હાડકાંની શક્તિ, મજબૂતી અને સહનશક્તિ વધારે છે. આવશ્યક અને સ્વસ્થ ઉત્સેચકો આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીની કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
આ કાળા બીજ ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે, તેનો ઉપયોગ આવી રીતે કરવો જોઇએ | 2024-04-25 08:54:01
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33