ગાંધીનગરઃ કોરોનાને કારણે વેપાર ધંધા પર વિપરીત અસર પડી છે. જો કે વેપારીઓને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે સરકારે વેપાર-ધંધા પાછા શરૂ કરી દીધા છે. પરંતુ આ માટે વેપારીઓને વેક્સીનેશન ફરજિયાત બનાવી દીધુ છે. જેથી કોરોનાનો ફેલાવો વધારે ન થાય, ગાંધીનગરમાં વેપારીઓ માટે રવિવારે વિશેષ વેક્સીનેશન કાર્યક્રમનું આયોજન થયું છે.
ગાંધીનગર મહાનગર પાલિકાના મેડીકલ ઓફિસરે જણાવ્યું કે ગુજરાત સરકારની કોરોના ગાઇડલાઇન્સ મુજબ સમગ્ર રાજ્યમાં વેપાર કરતા વેપારી મિત્રો તથા ગ્રાહક વર્ગની સુરક્ષાના આશયથી તમામ વેપારી વર્ગ દ્વારા આગામી તા: 31-7-21 પહેલા કોરોનાની રસી લઈ લેવી ફરજિયાત છે.તે અંતર્ગત ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા દરેક વેપારીને કોરોના વાયરસ થી સુરક્ષિત કરવા રવિવારના રોજ સેક્ટર 21, 24 અને 29માં આવેલા અર્બન હેલ્થ સેન્ટર, સેક્ટર 8 સરકારી દવાખાનું, પેથાપુર, વાવોલ, સરગાસણ, ઝૂંડાલ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીપી યુનિટ અને સેક્ટર 7 ખાતે આવેલા ભારત માતા મંદિર ખાતે વેક્સીનેશનનું આયોજન કરાયું છે.
જેથી શહેરના વેપારીઓ આ જગ્યાઓએ સવારથી રસી લઇ શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25