Tue,16 April 2024,8:11 pm
Print
header

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી આજે નહીં થાય, આવતીકાલે લેવાશે શપથ

આજની તારીખના શપથવિધીના પોસ્ટર્સ પણ હટાવી લેવાયા 

 

ગાંધીનગરઃ ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધી આજે થવાની હતી સ્ટેજ પણ તૈયાર કરી દેવાયું હતુ, મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો હતો, જો કે કોઇ કારણથી શપથવિધી આજે નહીં થાય અને આવતીકાલે શપથવિધી યોજાશે તેવું જાણવા મળ્યું છે.

હવે આવતીકાલે 16 સપ્ટેમ્બરે રાજભવનમાં નવ મંત્રીઓની શપથવિધી યોજાશે, બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે સિનિયર નેતાઓને મંત્રીપદ આપવાને લીધે કોઇ ઇશ્યૂં ઉભો થયો છે. જેથી આ મંત્રીમંડળનો મામલો પીએમ મોદી અને અમિત શાહ સુધી પહોંચ્યો છે.સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અનેક નવા ચહેરાઓ હોવાની શક્યતા છે. જૂના મંત્રીઓમાંથી બહુ ઓછાને મંત્રીપદ મળી શકે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch