Sat,20 April 2024,5:47 am
Print
header

કોરોના વાઇરસને કારણે રાજ્યસભાની ચૂંટણી સ્થગિત, કોંગ્રેસના ધારાસભ્યો રાજસ્થાનથી પાછા આવશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે, અત્યાર સુધી 33 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે, 31 માર્ચ સુધી રાજ્યમાં લોકડાઉન છે, ત્યારે આગામી 26 માર્ચે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની 4 બેઠકો પરની ચૂંટણી હાલ પુરતી રદ્દ કરવાનો ચૂંટણી પંચે નિર્ણય કર્યો છે, 31 માર્ચ પછી ચૂંટણીની નવી તારીખો જાહેર થાય તેવી શક્યતા છે.

રાજ્ય સરકારે કોરોનાને લઇને રાજ્યસભાની ચૂંટણી સ્થગિત કરવા કેન્દ્રીય ચૂંટણીપંચને રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ ચૂંટણી સ્થગિત થતા જયપુરના રિસોર્ટમાં રહેલા કોંગ્રેસના ધારાસભ્યો આજે અમદાવાદ પહોંચશે, ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યાં હોવાથી કોંગ્રેસે તેના બીજા ધારાસભ્યોને રાજસ્થાન મોકલી દીધા હતા 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch