હિતેશ પંડ્યા અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, જુદા જુદા મુખ્યમંત્રીઓ સાથે કર્યું છે કામ
ગાંધીનગર: ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રોન, ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના જનસંપર્ક અધિકારી હિતેષ પંડયાનો આજે 8મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. હિતેષ પંડ્યાના જન્મદિવસે યોગાનુયોગ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ હોવાથી તેની અનોખી રીતે ઉજવણી થઇ રહી છે. શહેરોના સ્લમ વિસ્તારોમાં રહેતી મહિલાઓ અને બાળકોને સાક્ષર કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ઈન્ડિયન લાયન્સ સંસ્થાની 80થી વધુ ક્લબો આવેલી છે. જેની સાથે ઘણા વર્ષોથી હિતેષ પંડ્યા જોડાયેલા છે.
હિતેષ પંડ્યા વ્યવસાયે પત્રકાર છે અને તેઓ 2001થી ગુજરાતના મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેમને તત્કાલિન મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ સાથે પણ કામ કર્યું છે. વડોદરામાં જન્મેલા હિતેષ પંડ્યાએ તેમનું પ્રારંભિક શિક્ષણ જામનગરમાં લીધું હતુ, બાદમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને સ્નાતક કક્ષાનું શિક્ષણ રાજકોટમાં લઇને રાજકોટથી પ્રકાશિત થતા ન્યૂઝ પેપરમાં પત્રકારત્વની શરૂઆત કરી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં તેમને રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન મળ્યું હતું, દેશના રાજકીય દિશા બદલનારા નવનિર્માણ આંદોલનમાં સૌરાષ્ટ્રનું સુકાન પણ તેમને સંભાળ્યું હતું. 11 માસ સુધી તેમને જેલવાસ પણ થયો હતો.
હિતેષ પંડ્યાએ રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પણ રહી ચુક્યાં છે. ગુજરાત પ્રદેશના બૌદ્ધિક પ્રકોષ્ટ (Intellectual Cell)ના પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી કરી છે. ગાંધીનગરમાં સ્થાયી થયા બાદ તેમણે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજ, ગાંધીનગર ઘટકની સ્થાપના કરી હતી. તેઓ ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના વૈશ્વિક સંગઠન AGBS Federationના પ્રમુખપદે પણ છે. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વિચારયાત્રાથી પ્રેરિત થઈને NATION FIRST FOUNDATION ની સ્થાપના કરી હતી. જે આજે સમગ્ર ભારતમાં એક રાષ્ટ્રવાદી ઓળખ ધરાવે છે.
G to G Family Social Welfare Foundationની સ્થાપના કરી હતી, જેના થકી વિશ્વ, ભારત અને ગુજરાતમાં વસતા લોકોને જોડીને વર્ષમાં એક ગેટ-ટુ-ગેધર કાર્યક્રમ કરીને વોટ્સએપ મિત્રોને જોડીને અનોખી G to G Family બનાવી છે. હિતેષ પંડ્યાના ધર્મપત્ની આશાબેન પંડ્યા કે, જેઓ ગૃહિણી હોવાની સાથે સમાજ સેવામાં અગ્રેસર છે. જેઓ હાલમાં ઈન્ડિયન લાયન્સના નેશનલ ચેરપર્સન પદેથી નિવૃત્ત થયાં છે. જો કે તેઓ પણ સમાજ સેવામાં અગ્રેસર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂપાલાને હરાવીશું, મત એ જ શસ્રઃ રાજપૂત સંકલન સમિતિની જાહેરાત – Gujarat Post | 2024-04-20 07:46:56
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48