Fri,19 April 2024,3:23 pm
Print
header

ગાંધીનગરઃ સરિતા ઉદ્યાન રોડ પર કારની ટક્કરથી પિતા-પુત્રનું મોત

ત્રણ દીકરીઓ પછી અનેક માનતાઓ બાદ પુત્ર પૃથ્વીરાજનો થયો હતો જન્મ 

ગાંધીનગરઃ સરિતા ઉદ્યાન રોડ પર કારની ટક્કરથી એક્ટિવા પર સવાર પિતા-પુત્રનું  મોત થઇ ગયું છે. અકસ્માતમાં ચાર વર્ષના પુત્રનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયુ હતું, પિતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જતાં સમયે રસ્તામાં તેમને દમ તોડી નાખ્યો હતો. આ અકસ્માતને પગલે પોલીસે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના સેક્ટર-8 માં રહેતા હરેશભાઈ કાંતિભાઈ મકવાણા સફાઈ કામદાર તરીકે છૂટક મજૂરી કરતાં હતાં. જેમના પરિવારમાં પત્ની નંદુબેન, 3 દીકરીઓ અને 14 વર્ષીય પુત્ર પૃથ્વીરાજ હતો. પરિવારમાં ત્રણ દીકરીઓના જન્મના લાંબા સમય બાદ પુત્ર પૃથ્વીરાજનો જન્મ થયો હતો. હરેશભાઈની બે દિકરીઓનાં લગ્ન થઈ ચૂક્યાં છે.હરેશ ભાઈ તેમના પુત્રને લઈને એક્ટિવા પર ઇન્દ્રોડા શાકભાજી લેવા ગયા હતા.સરિતા ઉદ્યાન રોડ પર કાર નંબર GJ-18 BM 4082 ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે ચલાવીને એક્ટિવાને ટક્કર મારી હતી.જેનાં કારણે પિતા પુત્ર એક્ટિવા પરથી ઉછળીને જમીન પર પટકાયા હતા અને પૃથ્વીરાજને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા અને હરેશ ભાઈને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇને જતા તેમનું રસ્તામાં મોત થયું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch