અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થયેલી કારમી હાર બાદ કોંગ્રેસ પક્ષમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઇ રહી છે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પક્ષના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે અને ટૂંક સમયમાં નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને બાદ કરતાં ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દાઓ પર નવી નિમણૂંક કરવામાં આવી શકે છે. આ ફેરફારોમાં સંગઠનમાં યુવા વર્ગ અને નવા ચહેરાઓને વિશેષ સ્થાન આપવામાં આવશે. ચૂંટણી દરમિયાન જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, તેવા લોકોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવશે.
ઉપરાંત સંગઠન વિશે ખોટી છાપ ઊભી કરનારા નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવશે. તેમજ ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા નેતાઓને પણ હોદ્દા પરથી દૂર કરાશે.
ઉલ્લેખનીય છે કે, સંગઠન સર્જન અભિયાન દરમિયાન જ આ ફેરફારો કરવાના હતા. શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યાં બાદ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા ત્યારે જ નવા સંગઠનની જાહેરાત થવાની હતી, પરંતુ ચૂંટણી આવી જતાં આ કામગીરી અટવાઈ હતી જે હવે પૂર્ણ કરાશે. 2027 વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ મજબૂત થવા આ ફેરફારો કરવા જઇ રહી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા | 2026-06-11 16:38:45
AAP નેતા જિગીષા પટેલની ચીમકી, ભાજપ નેતા ગુંડાગીરી બંધ નહીં કરે તો બાંયો ચઢાવવી પડશે | 2026-06-07 10:47:25
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું વિરોધ પ્રદર્શન: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ, સોનમ વાંગચુક પણ પહોંચ્યાં | 2026-06-06 17:40:52
ભાજપે ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા, જાણો વધુ વિગતો | 2026-06-04 18:24:30
પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો | 2026-06-01 17:23:39
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50