Thu,21 May 2026,3:43 am
Print
header

લોક ગાયક કિર્તીદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો: માર મારવાના કેસમાં હાઈકોર્ટે ફટકારી નોટિસ

  • Published By dilip patel
  • 2026-04-29 17:10:18
  • /

અમદાવાદઃ  ગુજરાતના જાણીતા લોક ગાયક કિર્તીદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો થતા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. અમદાવાદના એક યુવકને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર મારવાના કેસમાં કોર્ટે કિર્તીદાન ગઢવી સહિતના જવાબદારોને નોટિસ પાઠવી છે.

ખોડિયારનગર વિસ્તારમાં રહેતા જયેશ પરમાર નામના યુવકે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ  20 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી કોઈ પણ સમન્સ કે વોરંટ વગર સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ અધિકારીઓએ અરજદારને ડીટેઈન કર્યા હતા.

અરજદારનો આક્ષેપ છે કે સાયબર સેલ ગાંધીનગર દ્વારા તેમને ગોંધી રાખવામાં આવ્યાં હતા અને પોલીસ અધિકારીઓએ કાયદો હાથમાં લઈ તેમને શારીરિક ઈજાઓ પહોંચાડી હતી. અરજીમાં જણાવાયું છે કે લોક ગાયક કિર્તીદાન ગઢવી અને તેમના ભાગીદારોના કહેવાથી પોલીસ અધિકારીઓએ અરજદારને ઢોર માર માર્યો હતો.

હાઈકોર્ટે આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને નીચે કિર્તીદાન ગઢવી (લોક ગાયક) અને તેમના ભાગીદારો, બી.એમ. ચૌધરી (PI, CID ક્રાઈમ સાયબર સેલ), પી.એસ.આઈ પરમાર, રાજદીપસિંહ ઝાલા (SP)ને નોટિસ ફટકારી છે.

અરજદારની રજૂઆત સાંભળ્યાં બાદ, હાઈકોર્ટે પુરાવાઓ સાથે ચેડાં ન થાય તે માટે ખાસ આદેશ આપ્યો છે. કોર્ટે સંબંધિત પોલીસ સ્ટેશનના 20 અને 21 ફેબ્રુઆરીના CCTV ફૂટેજ સુરક્ષિત રીતે સાચવી રાખવા માટે કડક સૂચના આપી છે. આ કેસમાં હવે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં પોલીસ અને કિર્તીદાન ગઢવી પક્ષે પોતાનો બચાવ રજૂ કરવાનો રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch