ભૂવનેશ્વરમાં ગ્રામિણ વિભાગમાં કામ કરતા મુખ્ય ઇજનેર વૈકુંઠનાથ સારંગીના સ્થળો પર દરોડા
રૂપિયા 500 ના બંડલો બારીમાંથી નીચે ફેંકીને બચવાનો પ્રયાસ કર્યો હતો
ઓડિસ્સાઃ એક પછી એક ભ્રષ્ટાચારના કેસ સામે આવી રહ્યાં છે, ઇડીના અધિકારી 20 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા બાદ નવો એક ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે. ભુવનેશ્વરના એન્જિનિયરના PDN Exotica એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રુપિયા 1 કરોડ રોકડા મળ્યાં અને બીજી તરફ અંગુલ સ્થિત તેમના ઘરમાંથી અત્યાર સુધીમાં રૂપિયા 1.1 કરોડ રોકડા જપ્ત કરાયા છે. મોટી સંખ્યામાં રૂપિયા મળતા ચલણી નોટો ગણવાના મશિન મંગાવવા પડ્યાં હતા.
બે દિવસમાં જ નિવૃત થવાના હતા આ અધિકારી
ભુવનેશ્વરના ફ્લેટમાં હાજર એન્જિનિયર વૈકુંઠનાથ સારંગીએ વિજિલન્સની ટીમને આવતી જોઈને બારીમાંથી 500 રૂપિયાના નોટોના બંડલ બારીમાંથી નીચે ફેંકી દીધા હતા, પરંતુ વિજિલન્સે આ રૂપિયા પણ જપ્ત કરી લીધા છે.
ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ભેગા કરવામાં આવ્યાં હતા
વિજિલન્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વૈકુંઠનાથ સારંગી દ્વારા અપ્રમાણસર સંપત્તિ ભેગી કરવામાં આવી હોવાની તેમની પાસે બાતમી હતી, જેને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે અને કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. એજન્સી દ્વારા આરોપીનું બે માળનું ઘર, પીડીએન એક્ઝોટિકા ફ્લેટ, પુરીમાં પીપીલીના સિઉલાના ફ્લેટમાં, શિક્ષકપાડામાં આવેલા તેમના સંબંધીના ઘરમાં, તેમના પૈતૃક ગામમાં અને ભુવનેશ્વર મુખ્ય ઇનજનેરના કાર્યલયમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, હજુ આરોપી પાસેથી કરોડો રૂપિયાની સંપત્તિના દસ્તાવેજોની તપાસ થઇ રહી છે.
VIDEO | Bhubaneswar: Odisha Vigilance conducts raid on the properties of Chief Engineer Baikuntha Nath Sarangi, recovers Rs 2.1 crore cash.
— Press Trust of India (@PTI_News) May 30, 2025
(Source: Third Party)#Odisha pic.twitter.com/1fPi5keOFP
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22