Wed,16 September 2026,2:28 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ: બોમ્બની ધમકી બાદ એર ઈન્ડિયાની સાઉદી- દિલ્હી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

  • Published By dilip patel
  • 2026-08-31 19:40:21
  • /
  • 250 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડાયા
  • ધમકીભર્યો સંદેશ કોણે અને કયા હેતુથી મોકલ્યો હતો તે દિશામાં તપાસ શરૂ
  • 7 મહિના પહેલા પણ કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું

અમદાવાદઃ એરપોર્ટ પર સોમવારે સાંજે સાઉદી અરેબિયાથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પાયલટે પરિસ્થિતિની ગંભીરતા સમજીને વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી.

ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતર્યા બાદ તેને તાત્કાલિક આઇસોલેશન બે પર લઈ જવામાં આવી હતી. વિમાનમાં સવાર 250 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢી ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડાયા હતા.

ફાયર વિભાગની ત્રણથી વધુ ગાડીઓ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને એરપોર્ટ ઓથોરિટીએ મોરચો સંભાળીને સમગ્ર ફ્લાઇટનું DGCA પ્રોટોકોલ મુજબ ઊંડાણપૂર્વક ચેકિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નથી, જેથી મુસાફરો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલ એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય બની રહી છે, જ્યારે ધમકીભર્યો સંદેશ કોણે અને કયા હેતુથી મોકલ્યો હતો તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch