(આસામ એરપોર્ટ પર મહારાષ્ટ્ર સરકારના બળવાખોર ધારાસભ્યો)
સુરત/ગુવાહાટી: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ તરત જ શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે 25 થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાંખ્યા હતા.જેને કારણે રાજકીય ઉથલપાથલ મચી ગઈ અને શિવસેના સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. સુરતમાં રોકાયેલા ધારાસભ્યોને મંગળવારે મોડી રાત્રે આસામના ગુવાહાટી ખાતે ખસેડવામાં આવ્યાં હતા.આ ધારાસભ્યોને બસ મારફતે એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા. શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ એનસીપી-કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત મૂકી દીધી છે.
શિંદેએ કહ્યું, મેં કોઈ પક્ષ વિરોધી પગલું ભર્યું નથી, મને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.મને શિવસેના પાર્ટી છોડવાનો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક છું અને હંમેશા રહીશ. તેમણે સંજય રાઉતને પોતાની ફરિયાદ કરી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે વાત કરવી હોય તો મુંબઈ આવી જાવ.
બળવાખોર ધારાસભ્યો ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના સંપર્કમાં છે. ગૃહમંત્રી અમિત શાહ પળેપળની માહિતી લઇ રહ્યાં હોવાની ચર્ચાઓ છે. શાહે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક કરી હતી.
#WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt
— ANI (@ANI) June 22, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
મોદીજીને પીડા સહન કરતા જોયા છે, ગુજરાત રમખાણોના ચૂકાદા બાદ અમિત શાહે કહ્યું- સોનાની જેમ સત્ય બહાર આવ્યું- Gujarat Post
2022-06-25 10:36:39