(આસામ એરપોર્ટ પર મહારાષ્ટ્ર સરકારના બળવાખોર ધારાસભ્યો)
સુરત/ગુવાહાટી: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ તરત જ શિવસેના નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ શિંદે 25 થી વધુ ધારાસભ્યો સાથે સુરતમાં ધામા નાંખ્યા હતા.જેને કારણે રાજકીય ઉથલપાથલ મચી ગઈ અને શિવસેના સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. સુરતમાં રોકાયેલા ધારાસભ્યોને મંગળવારે મોડી રાત્રે આસામના ગુવાહાટી ખાતે ખસેડવામાં આવ્યાં હતા.આ ધારાસભ્યોને બસ મારફતે એરપોર્ટ લઇ જવામાં આવ્યા હતા. શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરે સમક્ષ એનસીપી-કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવા અને ભાજપ સાથે ગઠબંધન કરવાની શરત મૂકી દીધી છે.
શિંદેએ કહ્યું, મેં કોઈ પક્ષ વિરોધી પગલું ભર્યું નથી, મને પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.મને શિવસેના પાર્ટી છોડવાનો કોઈ વિચાર નથી, હું બાળાસાહેબ ઠાકરેનો સાચો શિવસૈનિક છું અને હંમેશા રહીશ. તેમણે સંજય રાઉતને પોતાની ફરિયાદ કરી હતી. રાઉતે મીડિયામાં કહ્યું હતું કે વાત કરવી હોય તો મુંબઈ આવી જાવ.
બળવાખોર ધારાસભ્યો ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલના સંપર્કમાં છે. ગૃહમંત્રી અમિત શાહ પળેપળની માહિતી લઇ રહ્યાં હોવાની ચર્ચાઓ છે. શાહે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ બેઠક કરી હતી.
#WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt
— ANI (@ANI) June 22, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12
કારમાંથી મળ્યાં નોટોના બંડલ, 1.3 કરોડ રોકડા, 4 કિલો ચાંદી સાથે દંપત્તિ ઝડપાયું- Gujarat Post | 2024-04-24 16:42:34
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો ભાઇ ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20