(file photo)
અમદાવાદઃ આફ્રિકન દેશ કોંગોમાં ઇબોલા વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાતમાં તેનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના જણાવ્યાં અનુસાર, એક 37 વર્ષીય બિઝનેસમેન 5- 7 દિવસ પહેલા કોંગોથી મુંબઈ અને ત્યાંથી વડોદરા આવ્યાં હતા. વડોદરામાં તેમને તાવના લક્ષણો દેખાતા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાંથી હેલ્થ વિભાગે એક્શન લઈને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં શિફ્ટ કર્યા છે.
દર્દીને 11 દિવસ માટે ક્વોરન્ટાઈન કરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. હાલમાં વિવિધ ટેસ્ટ ચાલી રહ્યાં છે અને હજુ સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. તેમની સાથે આવેલા અન્ય બે વ્યક્તિઓને SVP હોસ્પિટલમાં અને સંપર્કમાં આવેલા એક ડૉક્ટરને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.
છેલ્લા 3 દિવસમાં યુગાન્ડાથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 11 લોકો આવ્યાં છે. જેમાં 10 થલતેજ અને 1 જોધપુરના વોર્ડના રહેવાસી છે. આ તમામ 11 લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે. રાહતની વાત એ છે કે આમાના કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો નથી અને તેઓ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યાં નથી. આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ લોકોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ઇબોલાની આશંકાને પગલે SVP હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગથી 60 બેડનો વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. તેમજ યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમને ફરજિયાત હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
ગુજરાતના નવા DGP બન્યાં જી.એસ.મલિક, તેમના સ્થાને કોણ બનશે અમદાવાદના નવા CP ? | 2026-06-06 17:21:50