મહાશિવરાત્રી પહેલા શિવલિંગ ખંડિત થતાં ભક્તોમાં રોષ
ભક્તોએ અસામાજિક તત્વોને પકડવા માંગ કરી
દ્વારકાઃ આવતીકાલે મહાશિવરાત્રીનું પર્વ આસ્થાભેર ઉજવવામાં આવશે. આ પહેલા દ્વારકામાં શિવભક્તોની આસ્થા સાથે ચેડાં કરવામાં આવ્યાં હતા. હર્ષદ દરિયાકિનારે આવેલાં ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગુમ થઈ જતાં ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શિવલિંગ ગુમ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ધાડેધાડા ઉતરી આવ્યા હતા અને પોલીસ પણ પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન દરિયાકાંઠેથી ખંડિત હાલતમાં શિવલિંગ મળી આવ્યું હતું.
તપાસ દરમિયાન દરિયાકાંઠેથી શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેનાથી ભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી. હાલ, મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચી શિવલિંગને ખંડિત કરનાર અસામાજિક તત્ત્વો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
દોઢ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનો દબાણ હેઠળ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા હતાં. જોકે, તે સમયે આ મંદિરને તોડવામાં નહતું આવ્યું. લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી હોવાથી શિવલિંગ ખંડિત થતાં તેમની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી છે. હાલ, પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી શિવલિંગ ખંડિત કરનારને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
કપડવંજના બેટાવાડાના કરોડો રૂપિયાના બ્રિજમાં ગુણવત્તાનું ધ્યાન કેમ નથી આપતા અધિકારીઓ, શું આ કમિશનબાજીનો મોટો ખેલ છે ? | 2026-02-15 13:28:31
ભારત-પાકિસ્તાન મહાજંગ પૂર્વે ઉસ્માન તારિકની બોલિંગ એકશન પર પાક. કેપ્ટન સલમાન આઘાએ શું કહ્યું ? | 2026-02-14 18:09:32
Big News: આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાનું રાજીનામું, ગોપાલ ઇટાલીયા જવાબદાર હોવાની ચર્ચાઓ | 2026-02-11 11:10:37
બગદાણા કેસમાં જયરાજ આહીરના જામીન મંજૂર, 14 દિવસના જેલવાસ બાદ કોર્ટનો ચૂકાદો | 2026-02-07 15:16:56