Thu,25 April 2024,4:14 pm
Print
header

સુશાંતના મોત મામલે શેખર કપૂરનો મોટો ઇશારો, આ કોની ચાલ છે મને ખબર છે !

મુંબઇમાં સુશાંતસિંહના અંતિમ સંસ્કાર કરાયા 

મુંબઇઃ ફિલ્મસ્ટાર સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડ દુખમાં ડૂબી ગયું છે, તેના મોતથી ફરી એક વખત બોલીવુડની દુનિયાની કડવી સચ્ચાઇ સામે આવી છે, આજે મુંબઇમાં પવનહંસ સ્મશાનગૃહમાં તેના અંતિમ સંસ્કારમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી, પોલીસ આત્મહત્યાનું કારણ હજુ સુધી શોધી શકી નથી, ત્યારે આ મામલે ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂરે મોટો ધડાકો કર્યો છે, પોતાના એક મિત્રના મોત પર તેમને ટ્વીટ કરીને લખ્યું છે કે આ તારા કર્મો નથી, આ ચાલ કોની છે તે મને ખબર છે ! તેમને સુશાંતના મોતને પીડાદાયક ગણાવ્યું છે.

શેખર કપૂરે કહ્યું છે કે તું જે પીડા અનુભવી રહ્યો છે તેનો મને અહેસાસ હતો, જે વ્યક્તિઓએ તને કમજોર બનાવ્યો હતો અને તું મારા ખભા પર માથું રાખીને રડતો હતો એ લોકોની સ્ટોરી હું જાણું છું, હું થોડો સમય તારી સાથે રહ્યો હોત તો સારૂ. બીજાની હરકતોને કારણે તારે ભોગવવું પડ્યું છે. સુશાંત બોલીવુડના ટોપ ડિરેક્ટરોથી હેરાન હતો, તેઓએ સુશાંતને કામ ન આપવાનું નક્કિ કર્યું હતુ. જો કે આ મામલે કોઇ પુરાવા નથી. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch