નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને સંબોધી હતી અને યમુના નદીમાં ઝેર આપવાના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના દાવા પર વળતો પ્રહાર કર્યો હતો. મોદીએ યમુના નદીના પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટીને ઘેરી હતી.
દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજે દિલ્હી કહી રહી છે કે હવે AAP ના ખોટા વચનો નહીં ચાલે. હવે દિલ્હીની જનતા ભાજપની ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે. દિલ્હી એવી સરકાર ઈચ્છે છે જે ગરીબો માટે ઘર બનાવશે અને દરેક ઘરમાં પાણી પહોંચાડશે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी करतार नगर से विकसित दिल्ली संकल्प रैली को संबोधित कर रहे है। @Virend_Sachdeva @hdmalhotra https://t.co/rm4EktlgRz
— BJP Delhi (@BJP4Delhi) January 29, 2025
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના એક પૂર્વ મુખ્યમંત્રીએ હરિયાણાના લોકો પર ઘૃણાસ્પદ આરોપો લગાવ્યા છે. તેમની બેશરમી જુઓ કે તેઓ હરિયાણાના લોકો પર દોષારોપણ કરી રહ્યાં છે. આ બેશરમી, અપ્રમાણિકતા અને ખરાબ ઈરાદા છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ લોકો દિલ્હીના લોકોને પાણી માટે તડપાવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે અમારા પૂર્વાંચાલી મિત્રોએ દર વર્ષે છઠ્ઠી મૈયાની ગંદકીમાં પૂજા કરવી જોઈએ. તેમના રાજકીય સ્વાર્થમાં AAP સભ્યોએ વધુ એક ગંભીર પાપ કર્યું છે. તેમના પાપો ક્યારેય માફ કરી શકાતા નથી. ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે. જો તમારી ઇકોસિસ્ટમ તમારા પાપને ઢાંકવાનો પ્રયાસ કરે તો પણ દિલ્હી ભૂલી શકશે નહીં. હરિયાણાનું દરેક બાળક ભૂલી શકતું નથી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ હરિયાણાના લોકો પર ઘૃણાસ્પદ આરોપો લગાવ્યાં છે. AAPના નેતાઓ હારના ડરથી નર્વસ થઈ ગયા છે. શું હરિયાણાના લોકો દિલ્હીથી અલગ છે ? શું હરિયાણાના લોકોના પરિવાર અને બાળકો દિલ્હીમાં નથી રહેતા ? શું હરિયાણાના લોકો પોતાના બાળકોના પાણીમાં ઝેર ભેળવી શકે છે? તેમ કહીને મોદીએ આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢી હતી.
દિલ્હીમાં રહેનાર દરેક વ્યક્તિ હરિયાણાથી મોકલવામાં આવેલું આ પાણી પીવે છે. આ વડાપ્રધાન પણ છેલ્લા 11 વર્ષથી આ જ પાણી પી રહ્યાં છે. દિલ્હીમાં રહેતા અમારા તમામ ન્યાયાધીશો હરિયાણાથી મોકલવામાં આવેલ આ પાણી પીવે છે. શું ન્યાયાધીશોને મારવા માટે ઝેર આપવામાં આવશે ? શું કહી રહ્યાં છો ? શું દેશના ન્યાયાધીશોની હત્યાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ?
આપ 5મી ફેબ્રુઆરીએ જશે
પીએમ મોદીએ કહ્યું કે 5 ફેબ્રુઆરીએ AAP જશે અને BJP આવશે. પીએમે દિલ્હીના લોકોને એક તક આપવા અપીલ કરી હતી. હું મારા પરિવારની જેમ તમારું ધ્યાન રાખીશ.
મહાકુંભની ઘટના અંગે શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેઓ આ ઘટનાથી વ્યથિત છે. મૌની અમાવસ્યાના કારણે કરોડો ભક્તો ત્યાં પહોંચ્યાં હતા. મારી સંવેદના મૃતકોના પરિવારો સાથે છે. હું આ મામલે ઉત્તર પ્રદેશ સરકારના સંપર્કમાં છું. આ ઘટનાને કારણે થોડા કલાકો માટે ન્હાવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી પરંતુ હવે તે ફરી શરૂ થઈ ગઈ છે અને હવે બધું બરાબર છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર બહારમાં કમળ ખીલ્યું, મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓની દેવદુર્લભ સાથે કરી સરખામણી | 2025-02-18 17:18:58
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના દબદબા વચ્ચે પણ અહીં ન ખીલ્યું કમળ- Gujarat Post | 2025-02-18 15:22:47
આ નગરપાલિકાઓમાં ભાજપનો કબ્જો, જાણો કોંગ્રેસ અને AAPની હાલત | 2025-02-18 14:39:37
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાનમાં, મહેમદાવાદમાં પ્રિસાઈડિંગ ઓફિસર નશાની હાલતમાં મળી આવ્યાં | 2025-02-16 13:07:35
Breaking News: હિંસાગ્રસ્ત મણિપુરમાં આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું, મુખ્યમંત્રી પદેથી બિરેનસિંહે પહેલા જ આપ્યું છે રાજીનામું | 2025-02-13 20:55:49
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44