Sat,20 April 2024,4:20 pm
Print
header

બોટાદમાં લઠ્ઠાકાંડ ? ઝેરી લઠ્ઠો પીધા બાદ 23 લોકોનાં મોત, અનેક ગંભીર-Gujaratpost

બોટાદના બરવાળા પાસેના રોજીદ ગામે 23 લોકોનાં મોત 

પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો

ભાવનગરઃ બોટાદમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં 23 લોકોનાંં મોત થઇ ગયા છે. બીજા અનેક લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ મામલે પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું છે. રેન્જ આઈજી બોટાદ દોડી ગયા છે. મૃતકોના પરિવારજનોનો દાવો છે કે આ લોકોએ રાત્રે દેશી દારુ પીધો હતો.

મૃતકોએ ઝેરી લઠ્ઠો પીધો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. હાલમાં કેટલાક લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવ્યો હતો અને મૃતદેહોને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ સત્ય હકીકત સામે આવશે. 

બોટાદ જિલ્લામાં આવેલા રોજીદ ગામમાં આ લોકોએ દેશી દારૂ પીધા બાદ બધાની તબિયત બગડી હતી અને બાદમાં કેટલાક લોકોનાંં મોત થઇ ગયા છે. કેટલાક લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે, રોજીદમાં બનેલી ઘટનાને પગલે ભાવનગરથી સર ટી હોસ્પિટલની એક ટીમ રવાના થઈ છે. જો કે લઠ્ઠાકાંડ છે કે, પછી અન્ય બાબત તે મામલે હજુ તંત્ર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch