વ્યસ્ત જીવનશૈલી અને સતત લેપટોપ, કોમ્પ્યુટરની સામે કામ કરવાને કારણે મોટાભાગના લોકોને કમરના દુખાવાની સમસ્યા થવા લાગી છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં યુવાનો ણ પરેશાન છે. આવી સ્થિતિમાં દર્દને કારણે કામ કરવાનું મન થતું નથી.ક્યારેક પીઠનો દુખાવો એટલો વધી જાય છે કે બેસવું- ઉઠવું પણ મુશ્કેલ બની જાય છે.
જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો અને કામ કરવામાં તકલીફ પડતી હોય તો પેઈનકિલરને બદલે કોઈ ઘરેલું ઉપાય અપનાવીને સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. આ ઘરેલું ઉપાય છે તજ. તજનું સેવન કરીને તમે પીઠના દુખાવાની સમસ્યાને કુદરતી રીતે ઘટાડી શકો છો. તેનું સેવન કરવાથી તમને ઝડપથી આરામ મળશે.
કમરના દુખાવાની સમસ્યામાં તજ અસરકારક છે
તજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ,ફોસ્ફરસ, ઝિંક જેવા અનેક તત્વો મળી આવે છે. ઉપરાંત સિનામાલ્ડીહાઈડ અને સિનામિક એસિડ જેવા એન્ટી-ઓક્સીડેન્ટ ગુણો હોય છે, જે શરીરના ક્ષતિગ્રસ્ત કોષોને રિપેર કરવામાં મદદરૂપ થાય છે, આર્થરાઈટિસ, સાંધા અને કમરના દુખાવામાં પણ રાહત આપે છે.
જો મધની વાત કરીએ તો આયુર્વેદમાં લાંબા સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે.તેની સાથે તેમાં પ્રોટીન, વિટામિન સી, કેલ્શિયમ અને આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
તજનો ઉપયોગ કેવી રીતે કરવો
કમરના દુખાવાની સમસ્યાને દૂર કરવા માટે બે ગ્રામ તજના પાવડરમાં એક ચમચી મધ મિક્સ કરીને તેને ખાઓ.દિવસમાં ઓછામાં ઓછા બે વખત આવું કરો. આમ કરવાથી તમને ઝડપથી તેની અસર જોવા મળશે.
જો તમે ઈચ્છો તો તજ સાથે હેલ્ધી ડ્રિંક પણ બનાવી શકો છો. આ માટે એક તપેલીમાં એક કપ પાણી નાખો. ત્યાર બાદ તેમાં થોડો તજ પાવડર નાખીને ધીમી આંચ પર ઉકાળો હવે તેને એક કપમાં ગાળીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. સવારે અને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરશો તો તેના પણ તમને અનેક લાભ મળશે.
(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46