રામપુરઃ ઉત્તરપ્રદેશના રામપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસણના વેપારીએ પત્નીને પીઠ પાછળ લગાડીને પોતાની લાયસન્સવાળી રાઇફલથી આત્મહત્યા કરી હતી. એક જ ગોળી વાગવાથી બંનેના મોત થયા હતા. મૃતકની ઓળક સુનિલ રસ્તોગી (ઉ.50) અને તેના પત્ની નેહા રસ્તોગી (ઉ.45) તરીકે થઈ હતી.
50 વર્ષીય સુનિલ રસ્તોગી વાસણનો ધંધો કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં પત્ની નેહા, પુત્ર પીયૂષ અને પુત્રી કૃષિ રસ્તોગી છે. છેલ્લા કેટલાક સમયથી તેમની પત્ની નેહા કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા, જેના કારણે પરિવાર ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. આ પરિસ્થિતિને લીધે સુનિલભાઈ ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યાં હતા.
સવારે 7.30 વાગ્યે, સુનિલ રસ્તોગીએ ઘરના પ્રથમ માળે પત્ની નેહાને પોતાની પીઠ પાછળ લગાડીને રાઇફલથી ગોળી મારી દીધી હતી. ગોળીનો અવાજ સાંભળીને ગ્રાઉન્ડ ફ્લોર પર હાજર પુત્ર પીયૂષ, પુત્રી કૃષિ અને આસપાસના લોકો દોડીને ઉપર આવ્યાં હતા. ત્યાં રૂમમાં સુનિલ રસ્તોગી અને તેમની પત્નીના લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા હતા.
સુનિલ રસ્તોગીના હાથ પાસે સ્ટીલનો દંડો અને નજીકમાં રાઇફલ પડી હતી. માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, વેપારીએ છાતી સરસી ગોળી મારી હતી અને એક જ ગોળીથી બંનેના મોત થયાની પુષ્ટિ થઈ છે. તેમની પત્નીના શરીરમાંથી ગોળીના ટુકડા મળી આવ્યાં છે.
એસપી સોમેન્દ્ર મીણાએ જણાવ્યું કે પોલીસને મૃતકની એક ડાયરી મળી છે. ડાયરી અનુસાર તેઓ ખૂબ જ તણાવમાં હતા. પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતોનું કારણ આત્મહત્યા સામે આવ્યું છે.
સુનિલ રસ્તોગીએ આત્મહત્યા કરતા પહેલા 15 પાનાની ડાયરી લખી હતી. ડાયરીમાં તેમણે પોતાના ડિપ્રેશન, પારિવારિક જવાબદારીઓ અને પત્નીની બીમારીનો ઉલ્લેખ કરીને આત્મહત્યાની વાત કરી હતી.તેમણે લખ્યું કે, લાંબા સમયથી માનસિક તણાવમાં જીવતો હોવાથી હું મારા પરિવાર પર બોજ બનવા નથી માંગતો.
ડાયરીમાં સુનિલે પોતાની પત્ની અને બાળકો પ્રત્યેના પ્રેમનો ઉલ્લેખ કરતા દીકરાને વેપાર શીખવવા, દીકરીના લગ્ન અને જમીન-સંપત્તિ સંબંધિત વાતો પણ લખી છે. સાથે જ સંબંધીઓ અને સાસરી પક્ષનો પણ ઉલ્લેખ કર્યો છે. એએસપી અનુરાગ સિંહે જણાવ્યું કે ઘટનાસ્થળેથી એક લોખંડની રોડ (પાઇપ) પણ મળી આવી છે. એવું અનુમાન છે કે સુનિલે તેની મદદથી જ રાઇફલનું ટ્રિગર દબાવ્યું હશે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39