કોરોના વાયરસ માણસની ઈમ્યુન સિસ્ટમ અને શરીરના અનેક અંગોને ભારે નુકસાન કરે છે. આવામાં જો તમે પોસ્ટ રિકવરી ટેસ્ટ કરાવી લેશો તો જાણી શકાશે કે કોરોના વાયરસે તમને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તેની શું આડઅસર થઈ શકે છે. જેથી કરીને સમયસર સારવાર શરૂ કરીને દર્દીનો જીવ બચાવી શકાય.
કોઈ પણ બીમારીથી રિકવર થયા બાદ આપણી બોડી એન્ટીબોડીઝ પ્રોડ્યૂસ કરે છે જે ભવિષ્યમાં આપણને તે સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે. એન્ટીબોડીઝનું લેવલ આપણા શરીરમાં જેટલું વધુ હોય એટલી ઈમ્યુનિટિ સિસ્ટમ વધુ સેફ રહે છે. સામાન્ય રીતે માણસનું શરીર એકથી બે અઠવાડિયામાં એન્ટીબોડીઝ તૈયાર કરી લે છે. આથી હેલ્થ એક્સપર્ટ્સ કોરોનાની રિકવરીના બે અઠવાડિયા બાદ જ igG એન્ટીબોડી ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.
કમ્પલિટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ (CBC Test) માણસના શરીરમાં અલગ અલગ પ્રકારના સેલ્સની તપાસ માટે કરવામાં આવે છે. તેનાથી દર્દીને ખબર પડે છે કે કોરોના સંક્રમણ વિરુદ્ધ તેનું શરીર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. કોરોનાથી રિકવરી થયા બાદ લોકોએ આ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.
કોરોનાથી રિકવર થઈ ચૂકેલા દર્દીઓમાં જો બ્રેઈન ફોગ, કંપારી છૂટવી, એન્ઝાઈટી અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે તો તેમને રિકવરીના એક અઠવાડિયા બાદ બ્રેઈન અને ન્યૂરોલોજિકલ ફંકશન ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.
કોરોના વાયરસ આપણા શરીરમાં ઈન્ફ્લેમેશન અને ક્લોટિંગની સમસ્યા પણ પેદા કરી શકે છે.આ જ કારણ છે કે કેટલાક દર્દીઓમાં બ્લડ ગ્લૂકોઝ અને બ્લડ પ્રેશર લેવલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવામાં જો તમને પહેલેથી જ ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ કે કાર્ડિયાક સંબંધિત કોઈ સમસ્યા હોય તો રિકવરી બાદ રૂટિન ટેસ્ટ જરૂર કરાવજો.
કોરોનાનો નવો સ્ટ્રેન સરળતાથી પકડમાં આવતો નથી. આથી ડોક્ટરો HRCT સ્કેન કરાવવાની સલાહ આપે છે. જો કે આ ટેસ્ટ દરેકે કરાવવાની જરૂર નથી. ડોક્ટરોના જણાવ્યાં મુજબ જે દર્દીઓમાં કોરોનાના લક્ષણ છે પરંતુ RT-PCR રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે, ફક્ત એવા લોકો જ ડોક્ટરોની સલાહ પર આ ટેસ્ટ કરાવે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક્સપર્ટ્સ જણાવે છે કે કોરોનાનો નવો વેરિએન્ટ આપણા શરીરમાં ખતરનાક ઈન્ફ્લેમેશનની સમસ્યાને ટ્રિગર કરે છે. જેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. આવામાં જે દર્દીઓને છાતીમાં દુખાવાની ફરિયાદ હોય તો એકવાર જરૂરથી હાર્ટ ઈમેજ અને કાર્ડિયાક સ્ક્રિનિંગ ટેસ્ટ કરાવે.
કોરોનાને લઈને કરાયેલા એક સ્ટડીમાં દાવો કરાયો છે કે રિકવરી દરમિયાન વિટામિન ડી સપ્લીમેન્ટેશન દર્દીઓ માટે ખુબ જરૂરી હોય છે. આથી શરીરમાં વિટામિન ડીની ઉણપથી બચવા માટે તેનો પણ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. જે ભવિષ્યમાં પણ તમને કોઈ બીમારીથી બચવામાં મદદ કરશે. જો કે કોઇ પણ ટેસ્ટ કે દવા લેતા પહેલા તમારે તમારા ડોક્ટરની જરૂરથી સલાહ લેવી જોઇએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યા છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02
તમે સ્વાદમાં ને સ્વાદમાં ઘણી બધી કાકડી ખાઇ જાઓ છો, તો તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન | 2024-04-23 09:16:35
Benefits of Green Peppers: લીલું કેપ્સિકમ છે આ 5 રોગોની છે દવા, આજથી જ ખાવાનું શરૂ કરો | 2024-04-22 08:42:44
નારિયેળનું પાણી જ નહીં, તેની મલાઈ પણ છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, જાણો કઈ કઈ સમસ્યાઓમાં છે અસરકારક ? | 2024-04-21 18:30:59
ઉનાળામાં રોગો સામે લડવા માટે આ ફળ એકલું જ પૂરતું છે, તે અનેક રોગોમાં દવાનું કામ કરે છે | 2024-04-21 07:33:33
જાંબલી રંગનું આ શાક સ્વાસ્થ્ય માટે અમૃતનો સાગર છે, અઠવાડિયામાં એકવાર પણ તેનું સેવન કરશો તો દુ:ખનો સમય દૂર થશે | 2024-04-20 08:15:10