નવી દિલ્હીઃ ભારતમાં રસીકરણ કાર્યક્રમ શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે.અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં 1 અબજ 56 કરોડ કોરોના રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યાં છે.આ વર્ષે 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. હવે માર્ચ મહિનાથી 12 થી 15 વર્ષના બાળકો માટે રસીકરણ અભિયાન શરૂ થશે.આ માહિતી કોવિડ-19 પર ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપના અધ્યક્ષ ડૉ.એન.કે અરોરાએ આપી છે. અરોરાએ કહ્યું કે ફેબ્રુઆરીના અંત અથવા માર્ચની શરૂઆતમાં 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે.
3 જાન્યુઆરીથી શરૂ થયેલું બાળકો માટેનું રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 15 થી 18 વર્ષની વય જૂથના 3.31 કરોડ બાળકોએ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લીધો છે. ડૉ. અરોરાએ કહ્યું કે, દેશમાં 15 થી 17 વર્ષની વયના 7.4 કરોડ બાળકો છે. અમારો ઉદ્દેશ્ય જાન્યુઆરીના અંત સુધીમાં આ તમામ બાળકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો છે. આ પછી અમે ફેબ્રુઆરીથી બીજો ડોઝ આપવા માટે અભિયાન ચલાવીશું. ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજા ડોઝનો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે. તેથી જ અમે ફેબ્રુઆરીના અંતથી અથવા માર્ચના પ્રથમ સપ્તાહથી 12 થી 14 વર્ષની વયના બાળકોને રસી આપવાની શરૂઆત કરવા માંગીએ છીએ.
સરકાર માટે કિશોરો પ્રાથમિકતા છે
ડૉ એન કે અરોરાએ કહ્યું, "12 થી 17 વર્ષના બાળકો પુખ્ત વય જેવા જ હોય છે. તેથી તેમને કોરોના સામે રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે. આ ઉંમરના બાળકો ખૂબ જ ગતિશીલ હોય છે, તેમને ઘણું બધું ફરવું પડે છે. તેમને શાળા, કોલેજ જવું પડે છે, મિત્રોને મળવું પડે છે, તેથી તેઓને ચેપનું જોખમ વધારે છે. ઓમિક્રોનના આગમનથી આ જોખમ વધી ગયું છે.તેથી સરકાર હવે આ બાળકોને પ્રાથમિકતા પર લઈ રહી છે, શક્ય એટલી વહેલી તકે તેમને રસીના કવરેજ હેઠળ લાવવા માંગે છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રમોદ જોગે જણાવ્યું કે સરકારે કોઈપણ રોગથી પીડિત 5 થી 14 વર્ષની વયના બાળકોને પણ રસીના દાયરામાં લાવવા જોઈએ.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
પાકિસ્તાનમાં X પર પ્રતિબંધનો કેસ, હાઈકોર્ટે સરકારને એક સપ્તાહમાં નિર્ણય પાછો ખેંચવા આપ્યો આદેશ | 2024-04-17 18:20:40
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં 10 લોકોનાં મોત- Gujarat Post | 2024-04-17 16:08:22
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
ઇઝરાયેલે બદલો લઇ લીધો...દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર સહિત ત્રણને ઠાર કર્યાં | 2024-04-17 09:35:07
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
Fact Check: AAP નેતા આતિશીનો જયશ્રી રામનો નારો લગાવીને માફી માંગવાનો વાયરલ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 06:51:39
છત્તીસગઢ: મતદાન પહેલા કાંકેરમાં મોટું એન્કાઉન્ટર, નક્સલવાદી કમાન્ડર ઠાર, અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યાં | 2024-04-16 18:08:57