Sat,20 April 2024,2:20 pm
Print
header

મકાઈના ભુટ્ટા ખાવાથી વજન ઘટી શકે છે ? માનવામાં નથી આવતું તો આટલું વાંચી લો

વરસાદના મોસમમાં મકાઈ ખાવાની મજા કંઇ અલગ જ હોય છે. મકાઇ બાફેલી હોય કે શેકેલી તેનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. પોપકોર્ન પણ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. મકાઇ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે. મકાઈ આખી દુનિયામાં લોકપ્રિય છે. મકાઇમાંથી ટાર્ટિલા, ચિપ્સ, કોર્નમિલ, મકાઈનો લોટ, કોર્ન ઓઈલ જેવી અનેક પ્રોડક્ટ બનાવવામાં આવે છે.

મકાઈમાં કેરોટીનોયડ લ્યુટિન અને જેક્સૈન્થિન જેવા જરૂરી એન્ટીઓક્સીડન્ટ હોય છે જે ઓપ્ટિક ટિશ્યૂથી હાનિકારક ફ્રી રેડિકલ્સને હટાવે છે અને આંખોનું તેજ વધારે છે. વધતી ઉંમરની સાથે થનારી બીમારીઓ જેવી કે ગ્લુકોમા અને મોતિયાથી બચાવે છે.

અલગ-અલગ મકાઈમાં અલગ અલગ પ્રકારના વિટામીન અને પોષક તત્વો રહેલા હોય છે. પોપકોર્નમાં મિનરલ્સ અને સ્વીટ કોર્નમાં અનેક પ્રકારના વિટામીન હોય છે. સ્વીટ કોર્નમાં વિટામીન બી-5 અને બી-9 મળે છે. જે શરીરમાં ફોલિક એસિડની ઉણપને પૂરી કરે છે. ભુટ્ટા અને પોપકોર્નમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ, મેંગનીઝ અને ઝીંક મળે છે.

મકાઈમાં નેચરલ કેલ્શિયમ હોય છે જે હાડકાને મજબૂત કરવાનું કામ કરે છે. જે ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ અને કિડનીની સમસ્યામાં પણ ફાયદાકારક છે. યુવાનોએ રોજ મકાઈનું સેવન કરવું જોઈએ. આધેડ અને વૃદ્ધોએ મકાઈ સીમિત માત્રામાં જ ખાવી જોઈએ.

મકાઈના બીજ ફેનોલિક એસિડ અને ફ્લેવોનોઈડથી બનેલા હોય છે જે બંને એન્ટીઓક્સિડેન્ટની ફ્રી રેડિક્લસની સમસ્યાને દૂર કરે છે. આ નવા સ્કિન સેલ્સને બનાવવાનું કામ કરે છે સાથે જ ફાઈન લાઈન્સ અને કરચલિયોને દૂર છે. મકાઈના સેવનથી શરીરમાં કોલેજન બની જાય છે જેનાથી ચામડી ચીકણી રહે છે. મકાઈમાં હાજર કાર્બોહાઈડ્રેડ શરીરને તરત એનર્જી આપવાનું કામ કરે છે. હાજર ફાઈટેટ્સ, ટેનિન, પોલીફેનોલ્સ જેવા તત્વો પાચનપ્રક્રિયાને ધીમી કરે છે. જેને કારણે હાઈબ્લડ શુગર ઓછુ થઈ જાય છે. ડાયાબિટીઝના દર્દીઓમાં તે ઘણું જ ફાયદાકારક હોય છે. કેલરીમાં ઓછુ અને ફાઈબર વધુ હોવાના કારણે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ભારતમાં મહિલાઓ, પુરુષો અને બાળકોમાં આયરનની ઉણપ હોય છે. તેને કારણે વધુ થાક અને પ્રોડક્ટિવિટીનું સ્તર ઓછું થઈ જાય છે. કોર્ન આયરનનું પાવરહાઉસ છે. જે લોકોમાં હિમોગ્લોબિનની ઉણપ હોય છે તેમના માટે મકાઈ દવાનું કામ કરે છે. તે એનીમિયાનો ઈલાજ કરે છે.

પેટમાં તકલીફ, અનિયમિત શૌચ, પેટમાં દુખાવો, પેટ ફૂલાવું અને કબજિયાત જેવી સમસ્યામાં મકાઈ આરામ આવે છે.મકાઈમાં મળતા ફાઈબર ગેસ્ટ્રોસ્ટાઈનલ ફંક્શનમાં સુધારો કરે છે. વધુ ફાયબરવાળા ફૂડ પેટની સમસ્યા માટે સારા માનવામાં આવે છે, મકાઈ તેમાંથી એક છે. આ પાચન અને મેટાબોલિઝમથી જોડાયેલી સમસ્યાને દૂર કરે છે.

મકાઈ ખાવાથી નર્વસ સિસ્ટમ ફંક્શન સારી રીતે કામ કરે છે. જેમાં મળતા અમીનો એસિડ મગજને શાંત કરી યાદશક્તિ વધારવાનું કામ કરે છે. જે તણાવ ઓછો કરવાની સાથે ઈનસોમ્નિયાના ઈલાજમાં ઘણુ જ ફાયદાકારક છે. મકાઈ ખાવાથી મૂડ તો સારો રહે છે સાથે જ ઉંઘણ પણ સારી આવે છે.

મકાઈમાં કોલસ્ટ્રેલ અને સોડિયમ બિલકુલ પણ નથી હોતું. મકાઈના લોટમાંથી બનેલી વસ્તુ હદયના દર્દીઓ માટે ઘણી જ ફાયદાકારક છે.તે સિવાય તેમાં મળતા ફાયબર અને વિટામીન બી-3 અથવા ગુડ કોલસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલસ્ટ્રોલમાં કામ કરે છે. જે હદયની ધમનીઓમાં લોહીને જમવા દેતું નથી, માંસપેશીઓના કાર્યને સરળ બનાવે છે. કુલ મળીને હદય માટે મકાઈ અથવા ભુટ્ટો ઘણો જ ફાયદાકારક છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar