Fri,17 April 2026,8:44 pm
Print
header

દેશભક્ત યુદ્ધમાં ગયા અને ગદ્દારો RSS માં...કોંગ્રેસનો મોદી અને સંઘ પર જોરદાર પ્રહાર

  • Published By Mahesh patel
  • 2025-10-01 18:54:24
  • /

સંઘના હાથ મહાત્મા ગાંધીના લોહીથી રંગાયેલા છેઃ કોંગ્રેસ 

સંઘના નેતાઓને મરચા લાગે તેવી વાત કોંગ્રેસે કરી 

નવી દિલ્હીઃ કોંગ્રેસે ફરી એક વખત સંઘ અને નરેન્દ્ર મોદી પર મોટા પ્રહાર કર્યાં છે, મોદીએ સંઘના શતાબ્દી મહોત્સવમાં દાવો કર્યો કે સંઘના નેતાઓ આઝાદીની લડાઇ માટે જેલમાં ગયા હતા. હવે મોદીના આ દાવા સામે કોંગ્રેસે એક્સ પર લખ્યું છે કે મોદીનો આ દાવો ખોટો છે, આઝાદીની લડાઇ દરમિયાન જે દેશભક્ત હતા તે યુદ્ધમાં ઉતર્યા હતા અને ગદ્દારો સંઘમાં ગયા હતા.

કોંગ્રેસે સંઘની ઝાટકણી કાઢતા કહ્યું કે 1942 માં જ્યારે દેશ અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન ચલાવી રહ્યો હતો ત્યારે દેશભક્તો જેલમાં ગયા હતા અને સંઘ આંદોલન દબાવવા અંગ્રેજોને મદદ કરી રહ્યું હતુ, જેથી અંગ્રેજોએ ક્યારેય પણ સંઘ પર પ્રતિબંધ લગાવ્યો નથી.

કોંગ્રેસનો દાવો છે કે સંઘનો એક પણ વ્યક્તિ દેશની સ્વતંત્રાની લડાઇમાં જેલમાં નથી ગયો, સંઘના લોકો ગાંધીજી, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની વિરુદ્ધમાં કામ કરતા હતા. સાથે જ કોંગ્રેસે કહ્યું કે છેલ્લા 100 વર્ષમાં સંઘે દેશ માટે કોઇ જ મોટું કામ કર્યું નથી.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch